SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનો અધિકાર માનવજાતિને મળતો નથી. મૂંગી જીવરાશિની બેસુમાર હિંસાને કારણે ધરતીકંપો, સુનામી જેવા સમુદ્રી પ્રલય અને અન્ય કુદરતી આપત્તિઓ પૃથ્વી ઉપર સતત આવતી રહી છે તેને રોકવી જરૂરી છે. We have to become voice for the voiceless! ૨) માનવજાતે ભોગોની સીમા બાંધવી : પૃથ્વી આપી શકે તેનાથી વધુ તેની સંપત્તિનો બેફામ દુરુપયોગ કરવો (ઉપભોગવાદી જીવન બનાવીને) એ ગુનો છે. પૃથ્વીના Non Renewable Resource જો અત્યારની ઝડપે વપરાતા રહેશે તો માનવજાતને જીવન જીવવા માટે પારાવાર તકલીફો ઊભી થશે. સ્વેચ્છાએ જીવનમાં સાદાઈ અપનાવવી એ જ મોટું તપ છે. ૩) ઉડાઉ જીવનધોરણ ઉપર લગામ : સમૃદ્ધ દેશોએ અને સર્વત્ર વસતાં સમૃદ્ધ નાગરિકોએ પૃથ્વી ઉપર માનવજાતમાં જોવા મળતી ગરીબાઈને દૂર કરવા, પોતાનાં ઉડાઉ જીવનધોરણોને રોકવા પડશે. યુરોપ-અમેરિકાની પ્રજા પૃથ્વીની ૨૫ ટકા વસ્તી રૂપે છે, જે પૃથ્વીની ૭૫ ટકા સંપત્તિને વાપરે છે. બાકીની ૭૫ ટકા પ્રજા માટે ફક્ત પૃથ્વીની ૨૫ ટકા સંપત્તિ જ બચે છે. આ પ્રજાનાં જીવનધોરણો ઊંચે લઈ જવા એ વર્તમાન વૈશ્વીકરણના આર્થિક વ્યવહારમાં અશક્ય છે. જો સુખી-સમૃદ્ધ રાષ્ટ્રો અને તેની પ્રજા, સદા વધતાં જતાં જીવનધોરણો ઉપર કાબૂ નહિ રાખે તો બ્રહ્માંડમાં તરતા આ પૃથ્વી જહાજને પ્રલયમાં ડૂબી જતાં કોઈ રોકી નહીં શકે. ૪) પરસ્પરોપગ્રહ જીવાનામ્ | સકળ જીવરાશિ ભાવાત્મક રીતે એક જ છે. વિશ્વમૈત્રી વગર એ જીવો સાથે અહિંસાત્મક મૈત્રીપૂર્ણ અભિગમ અપનાવ્યા સિવાય ચાલશે જ નહીં. You cannot compromise with Reverence for life & Universal welfare for all. ૫) જીવનના તમામ આયામોમાં અધ્યાત્મનું અનુસંધાન : આપણા પુરૂષાર્થનું ગુરૂત્વાકર્ષણ અર્થ-કામ બન્યા છે. તે પણ ધર્મ ૧૯૯ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy