SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન કાળમાં આનાથી ઊંધૂ પરિણામ જોવા મળે છે. મન મેલા, તન ઉજળા જેવી આજે પરિસ્થિતિ છે. માણસ બાહ્ય રીતે સારો દેખાતો હોય, પણ મનમાં ભાવો મલિન હોય છે. માણસના મનમાં શું છે તે કોઇ જાણી શક્યું નથી ને માણસ ક્યારે કેવા વિચારો કરતો હશે તે પણ જાણી શકતું નથી. એટલે જ મહાવીર પ્રભુએ વિચારોમાં જ જાગી જવાનું કહ્યું છે. મહાવીરે વધુમાં સમજાવ્યું છે કે, જેમ ભ્રમર પુપમાંથી માત્ર રસ ચૂસી લે છે, પણ પુષ્પોનો નાશ કરતો નથી. તેમ સંસારના વહેવારમાં પણ માણસે બીજાને ઓછામાં ઓછી પીડા આપણા થકી પહોંચે તેનું ધ્યાન રાખવાનો તથા બીજાની દૃષ્ટિથી આપણે જોતાં શીખવું જોઈએ તેવો સંદેશો આપ્યો છે. માણસ સમૃદ્ધિ વધારતો જાય છે ને તેનું જીવનસત્ય ઓછું થતું જાય છે. કેમ કે સુખ હંમેશાં તેનું પરમલક્ય જ બની રહ્યું છે. તે ધર્મથી અને તેના આચાર – સંહિતાથી બાજુ પર રહી જાય છે. તેના મન પર કષાય વૃત્તિઓનો કબજો વધારે હોય છે. જૈન દર્શનમાં સંયમપૂર્વક જીવન જ આત્માને સ્વસ્થ જીવન ને સદાચાર આપે છે અને સદાચારી માણસ જ મનને વશમાં રાખવાનો પુરુષાર્થ કરી આત્માને પરમાત્મા સુધી લઇ જવાનો પ્રયત્ન કરે છે. વિશ્વભરમાં મનોવૈજ્ઞાનિકો આજે મહાવીરની અહિંસા ને અપરિગ્રહની સમજ આપતી વાણીને સ્વીકારતાં થયા છે. જૈન દર્શનમાં નીરોગી બનવા માટે તન શુદ્ધ રાખવા કહ્યું છે, ને નિરાગી બનવા માટે મન શુદ્ધ રાખવા કહ્યું છે મનની સમાધિ વિના ધર્મમતિ ટકી શકતી નથી. શરીરમાં નાનું સરખું પણ અસુખ ઉત્પન્ન થાય એટલે મનમાં અસમાધિભાવ ઉત્પન્ન થાય છે. પ્રતિકૂલ સંજોગોમાં વિપરીત બની ગયેલા મનને સીધા રસ્તે લાવવું સહેલું નથી. પણ તે સમયે મનને મજબૂત બનાવવું આવશ્યક છે ને તેથી જ સમાધિભાવ ટકાવવા માટે શરીરના ગુણધર્મોની પણ વિચારણા કરવી પડે છે. પણ માનવી પૂરતી સમજ વગર અજ્ઞાનતાને કારણે મોટા ભાગનો સમય શરીર પાછળ જ ખર્ચી નાખે છે. શરીરથી તો સાધના કરવાની છે. ને મનથી નધારા ૧૮૬) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy