SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્બળ મનનો માનવી કષાયોના વમળોમાં ફસાયેલો જ રહે છે. સમુદ્ર શાંત છે તેમાં કોઈ લહર નથી પણ હવાનો એક જોકો આવે છે લહરો ઉઠે છે ને તેમાં તરંગો ઉઠે છે. મહાવીર કહે છે કે શુદ્ધ આત્મા તો શાંત સાગર જેવો છે. અશુદ્ધ આત્મા અશાંત સાગર જેવો છે જેમાં લહરોની લહર ઉડ્યા કરે છે. મહાવીરે તેને વેશ્યા નામ આપ્યું છે. જૈન દર્શનની અભિનવ મનોવૈજ્ઞાનિક ભેટ એટલે જ આ લેગ્યા અને તેના દ્વારા માનવીની ભાવનાઓ, વૃત્તિ, ને વિચારોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ તથા આપણી અંદર રહેલા ભાવોનું પૃથ્થકરણ, અત્યંત સરળ અને સૂક્ષમ રીતે સમજાવવામાં આવ્યું છે. આવેગ, ઊર્મિ, ક્રોધ વગેરે કષાયોથી ક્લેશ પામેલું મન એ મન, વચન અને કાયાથી જે પ્રવૃત્તિ થાય છે તેને ભાવલેશ્યા કહેવાય મતિ તેવી ગતિ. આધુનિક મનોવિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે કે માનસિક ભાવો - તરંગોમાં ફેરફાર થતાં માનવીના સ્વભાવમાં પરિવર્તન આવે છે ને તેથી જ મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે જ તેના હિતેચ્છક બનીને જૈન દર્શનમાં મહાવીરે બતાવેલી લેશ્યાને લગતી વિચારણા તેના ગ્રંથો દ્વારા પહેલેથી જ સમજાવવામાં આવી છે. તેથી ધર્મનું પ્રથમ ચરણ પદ્મ લેશ્યા એ સાધનાનો માર્ગ છે અને શુક્લલેશ્યા નિર્વાણનો - કૈવલ્યનો માર્ગ છે. શુક્લ લેશ્યાવાળા માણસોનો અહંકાર ખલાસ થઈ જાય છે. તેનામાં મારું તારૂ ને સ્વાર્થની કોઈ જ ભાવવૃત્તિ રહેતી નથી, તે નિર્મોહી બને છે. જીવનમાં કોઈપણ જાતનો સંઘર્ષ પછી તેને કરવાનો હોતો નથી. આ બાબતે આપણે પુણિયા શ્રાવકને ચોક્કસ યાદ કરી શકીએ. સંતોષ, સમતા, સદાચાર ને અપરિગ્રહનાથી ભરેલા સ્વચ્છ મનનો તે ઉચ્ચ કોટિનો શ્રાવક હતો. કમળ સૂર્યનાં કિરણોથી ખીલે છે તેમ માણસનો આત્મા જ્ઞાનના પ્રકાશથી ઝળહળી ઊઠે છે. મહાવીરના અનેકાંતવાદ અને કર્મવાદના સિદ્ધાંતથી જ આપણને લોકતંત્રના બીજ મળ્યા છે અને તેમનો અપરિગ્રહનો સિદ્ધાંત જ માનવીને સુખી બનાવી શકે છે તેમાં જ ક્રોધ, મોહ, માયા, લોભ વિગેરે કષાયોને પણ મનમાંથી જાકારો આપવાનું કહ્યું છે પરંતુ જ્ઞાનધારા (૧૮૫) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy