SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના તથા ઉપાસના કરવાની છે. મનને સ્થિર કરવાનું છે. એક અપેક્ષાએ મનની અસ્થિરતા એ સારી વાત નથી! જો આ મન, સત્તા, સંપત્તિ કે કીર્તિમાં ક્યાંય સ્થિર બની ગયું હોત તો? તો સાથે જ પરમ માટેની આપણી શોધ અટકી પડત. સ્થિર મન આપણને સતત સૂચવે છે અને જે જોઈએ છે તે નથી મળ્યું, હજુ આગળ વધો. હજુ બીજું કંઈક શોધો જ્યાં સુધી મને પરમ તત્વનું સિંહાસન મળવાનું નથી ત્યાં સુધી હું જંપીને બેસીશ નહિ અને તેથી જ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અહિંસા, પ્રેમ, ધ્યા, કરૂણા દ્વારા શુભ લેક્શામાં જઇ મન માનવીને આત્મદર્શન કરાવે છે અને મુક્તિના માર્ગે પ્રયાણ કરી શકે છે. રત્નાકર પચ્ચીસીની બધી જ ગાથાઓ આપણા મનુષ્ય સ્વભાવ, ને મનમાં રહેલા ભાવોનું દર્શન કરાવીને આત્મબોધ આપે છે ને આત્મદર્શન કરવાની સમજ આપે છે તેથી જ પ્રભુની દર્પણ પૂજા કરતાં કરતાં પ્રભુનું દર્પણમાં મુખડું જોતા મનમાં એવા ભાવ પ્રગટ કરીએ છીએ, કે, હે પ્રભુ! તે મને બિલકુલ નખશીખ તારી જ કૃતિ બનાવો. તો હું મનથી, તનથી, ને વચનથી પણ તારા જેવો બને તેવા મને આશિર્વાદ આપ. આ રીતે આત્મદર્શન કરવાથી પણ કષાયોના વાદળો દૂર હઠતાં આપણે ચોક્કસ જ પ્રભુને પ્રાપ્ત કરીએ. અંતમાં મન ઉપર પ્રભુત્વ મેળવવામાં સાચા સાધક બની રહીએ ને આપણા વાણી, વર્તન, ને વ્યવહારની શુદ્ધિ દ્વારા જીવનના પરમલક્ષ, પરમજ્ઞાન થકી પરમાનંદને પામી તેનાં ચરણોમાં બિંદુ બની જઈએ તેવી પરમાત્મા અંતર્યામીને પ્રાર્થના. જ્ઞાનધારા (૧૮૭) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy