SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ કદાચ ડેમો કેટ્સ (ઈ.પૂ. ૪૬૦-૩૭૦) જ કરી હતી. પરંતુ જૈન-દર્શને તો આ વાત હજારો નહિ. અગણિત વર્ષો પૂર્વે પણ કરી છે. અને જૈન દર્શનનો પરમાણુ તો એટલો સૂક્ષ્મ છે કે કોઈ સાધનોની મદદથી પણ જોઈ શકાય એમ નથી. એ ઇન્દ્રિયાતીત છે. માત્ર કેવળજ્ઞાનીઓ જ એને પોતાના ચર્મચક્ષુથી જોઈ શકે છે. વળી તે અવિભાજ્ય, અચ્છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય છે. એટલે કે કોઈ પણ તીક્ષ્ણમાં તીક્ષ્ણ શસ્ત્રથી તેને ભેદી શકાતો નથી. અગ્નિથી બાળી શકાતો નથી. પાણીથી પલળતો નથી. તેને લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, ઊંચાઈ આદિ કોઈ પરિમાણ નથી. તે પોતે જ આદિ, મધ્ય અને અંતસ્વરૂપ છે. તેને એક વર્ણ, એક રસ, એક ગંધ અને બે સ્પર્શ હોય છે. ઉપરાંત તે અવિનાશી, નિત્ય છે. (ગીતામાં આત્મા વિષે આવું જ કહેવાયું છે ને - નૈનં છિદંતી શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકં?) જેનદર્શનની કર્મરજ આવા જ સૂક્ષ્મ પરમાણુઓ છે કે જે સૃષ્ટિના એક છેડાથી બીજા છેડા સુધી વ્યાપ્ત છે. આ કર્મરજ આપણાં કર્મોના માધ્યમથી આપણા આત્મા તરફ સતત આકર્ષાયા કરે છે, આપણા આત્માને સતત વળગતી રહે છે, ને આપણને એની જાણ પણ નથી થતી. આવી જ કંઈક વાત વિજ્ઞાનના ન્યુટ્રીનો અથવા એન્ટી-ન્યુટ્રીનોની છે ન્યુટ્રોનનો જ્યારે ક્ષય થાય છે. ત્યારે જે ન્યુટ્રીનો ઉત્પન્ન થાય છે. તે એટલાં સૂક્ષ્મ મૂળભૂત કણ છે કે તેનું કોઈ વજન કે વિદ્યુતભાર નથી તે માત્ર એક ભ્રમણ જ છે. આ બ્રહ્માંડ આવાં અસંખ્ય ન્યુટ્રીનોથી ભરેલું છે. કહે છે કે આપણા શરીરના એક ચો.સેમી વિસ્તારમાંથી દર સેંકડે સાઠ (૬૦) અબજ ન્યુટ્રીનો પસાર થાય છે. અને આપણને તેનો અણસાર પણ નથી આવતો! આ ન્યુટ્રીનો ને જૈન કર્મરજ અને જૈન-પરમાણું – આ બધામાં કેટલું બધું સામ્ય દેખાય છે! વિજ્ઞાનનું ન્યુટ્રીનો જો સત્ય હોય તો જૈન પરમાણુ પણ સત્ય જ છે. એમાંથી જીવ નીકળી જાય છે. ત્યારે તેનું શરીર જડરૂપે પડી રહે છે માટે જ જૈન-દર્શને આ બધાની ખૂબ ‘જન્ના' (જયણા-જતન) કરવાનું કહ્યું છે. ‘પૃથ્વી’ની વાત લઈએ તો જૈન શ્રાવકને આજીવિકા અર્થે પણ ‘ફોડી કમ્પ્રે’ - પૃથ્વીનું પડ ૧૫૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy