SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ છણાવટ કરી છે એ આગમોની ભાષા, તેનો નાદ, ધ્વનિ અને તીર્થંકરોના આભામંડળનો પ્રભાવ, પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિનું રહસ્ય, છ ચક્રો વગેરેની ઉર્જાનું બળ તેમજ જન્મ કુંડળનાં ૧૨ સ્થાનો એ ખરેખર જૈનદર્શનની બાર ભાવનાનું જ પ્રતીક છે, તેમજ નવગ્રહો તો માત્ર આઠ કર્મનું જ રૂપક છે. અને ચોઘડિયાં એ નવતત્ત્વ (સાતતત્ત્વ)ની સંપૂર્ણ પ્રક્રિયા છે. આ ઉપરાંત ઉત્પાત, ધ્રુવ અને વ્યયમય આખી પ્રકૃતિને જ જગતે પરમાત્માના સ્વરૂપમાં વિભાજિત કરી અધિપત્ય આપ્યું છે, તો જૈનદર્શનના સાધુ અને શ્રાવક વિશ્વ પરનો એક ઉત્તમ આદર્શ છે જેના જીવન વ્યવહાર દ્વારા પર્યાવરણની રક્ષા થઈ શકે છે. આ બધી વાતનો સાર એ જ છે કે જૈનદર્શનનું એક પણ તથ્ય એવું નથી કે જેનો ઉત્તર વૈજ્ઞાનિકતાપૂર્વક ન આપી શકાય! અનેક પરિબળોથી વીંટળાયેલું સ્પર્શાયેલું જીવતત્ત્વ છતાં જડતત્ત્વોથી ભિન્નત્વ એનું ‘‘જીવપણું'' એ આત્મદ્રવ્યની સંપૂર્ણ મુક્તિનું કારણ છે જે વાત પૂર્ણ વૈજ્ઞાનિક છે. અને તેથી જ, આત્મા છે. નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, કર્મમુક્તિના ઉપાય છે અને મોક્ષ છે. આ છ પદ એક પૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ સૂચવે છે. આ બધી વાતનો ઉપસંહાર સંક્ષેપમાં કરીએ તો જૈનદર્શનમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ કે કથાનુયોગ દ્વારા વ્યક્ત થતું સંપૂર્ણ દર્શન વૈશ્વિક ચેતનાના વિજ્ઞાનનાં જ રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે. આપણે અત્રે ચર્ચેલા કેટલાક મુદ્દાઓ ઉપરાંત અનેક વૈજ્ઞાનિક તથ્યો વર્તમાનમાં પ્રચલિત વૈજ્ઞાનિક માન્યતાઓ સાથે સુસંગત છે. યથાર્થ રીતે કહીએ તો જૈનદર્શનના વૈજ્ઞાનિક તથ્યોને વર્તમાન વિજ્ઞાન અમુક અંશે જ પામી શક્યું છે. કે સિદ્ધ કરી શક્યું છે. જેની વાત મુનિ શ્રી નંદીઘોષ વિજયજીએ આવા વૈજ્ઞાનિક તથ્યોની છણાવટ કરતાં “જૈનદર્શન વૈજ્ઞાનિક દષ્ટિએ'' પુસ્તકમાં કરી છે. જેમાં “આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતની મર્યાદાઓ જૈનદર્શનના પરિપ્રેક્ષ્યમાં ‘તેમજ’’ પ્રકાશ સજીવ છે કે નહીં? જૈન કાળચક્ર અને કોસ્મિક કેલેન્ડર’’ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International ૧૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy