SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સર્જાય છે. અન્યોને જીવવા દો, નહીં તો મરી જશો.''માં તેમની વિચારભૂમિકાનો પાયો છે. જૈનદર્શનનો અહિંસાવિચારનો પાયો પ્રકૃતિની આ સર્વ તત્ત્વોમાં વિલસતો આપણા જેવા જ ચૈતન્યપૂર્ણ આત્મા પ્રત્યેના આદર અને સમાનુભૂતિમાં રહ્યો છે. જૈનધર્મનો પર્યાવરણવિચાર મનુષ્યોની ક્ષુદ્ર ગણતરીથી મંડાયો નથી, એ તો સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણના પાયા પર મંડાયો છે. પરિ + આવરણ (આજુબાજુનું આવરણ)તે પર્યાવરણ. જૈનધર્મની અહિંસાપૂર્ણ વ્યવહાર દૃષ્ટિ આજુ-બાજુના સમગ્ર જીવલોકના પર્યાવરણનું રક્ષણ કરવા ચાહે છે. જૈનધર્મનો સમગ્ર વિશ્વ પ્રત્યેનો મૈત્રીભાવ અને કરૂણાપૂર્ણ દૃષ્ટિ તે જ જૈનધર્મનો પર્યાવરણવિચાર છે, જે વાસ્તવમાં Deep Ecology સૂક્ષ્મતમ પર્યાવરણ વિજ્ઞાન છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમો છે, જે જાતિ, દેશ, કાળ સમયની સાપેક્ષતા વિના, સાર્વભૌમ પંચમહાવ્રતો છે. દુનિયાના દરેક દર્શનમાં આ પાંચ મહાવ્રતો થોડે-ઘણે અંશે જોવા મળી શકે, પરંતુ પરમાત્મા મહાવીરે આ પાંચ મહાવ્રતોનું જે સર્વાંગી નિરૂપણ કર્યું છે તે વિશિષ્ટ છે અને તેથી પણ વધુ આ પંચ મહાવ્રતોના પાલન સંબંધી સાધુ અને શ્રાવકોના જીવનની અનેક ઉત્તરગુણો, અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત આદિની વ્યવસ્થા ખરે જ અદ્ભુત છે. સાધુ ભગવંતોના નિર્મળ ચારિત્રપાલન માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાને દર્શાવવામાં આવી છે. તેમાં ‘પારિષ્ઠાપનિકા સમિતિ' આજના સંદર્ભે વિશેષ નોંધપાત્ર છે. મનુષ્યે નકામી વસ્તુ ફેંકવામાં, પરઠવવામાં જે વિવેક નથી રાખ્યો એને લીધે Waste Management એ સમગ્ર વિશ્વ માટે પીડાદાયક બન્યું છે. એમાં પણ પ્લાસ્ટિક જેવા નોન ડિગ્રેડેબલ એલિમેન્ટે તો (પર્યાવરણમાં પુનઃ ન ભળી જતા પદાર્થો) ‘હાય તોબા' કરી દીધા છે. આપણા રેલ્વે સ્ટેશનો પર ખાલી પડેલ પ્લાસ્ટિક બોટલોના પર્વત રચાય છે, આપણા શહેરોમાં વરસાદના દિવસોમાં પ્લાસ્ટિકની થેલીઓ પાણીમાં અવરોધ કરી કૃત્રિમ પૂર સર્જે છે અને ગાય જ્ઞાનધારા Jain Education International ૧૩૫ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર ૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy