SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાવરણ વિજ્ઞાન - જૈનધર્મનું દૃષ્ટિબિંદુ (ડૉ. અભય દોશી મીઠીબાઈ કૉલેજમાં ગુજરાતી વિષયના પ્રોફેસર પ્રોફેસર છે. અને મુંબઈ યુનિવર્સિટીના પીએચ.ડી.ના ગાઈડ થયા છે. કવિ છે. પ્રાચીન ગ્રંથોના સંશોધન કાર્યમાં રસ ધરાવે છે.) આજે સર્વ પર્યાવરણવિજ્ઞાનીઓની ગંભીર ચિંતા છે કે, જે આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી મનુષ્ય જાતિના વિકાસ માટે સર્જાયા હતા, એ જ વિજ્ઞાન-ટેક્નોલોજીની સાઈડ-ઈફેક્ટ યુગો-યુગોથી મનુષ્યનું રક્ષણ કરનારી પ્રકૃતિ અને પર્યાવરણને નષ્ટ કરી છે. પર્યાવરણ Eecologyમાં આવતાં અનેકવિધ પરિવર્તન-વધતું Global Temperature, હિમાલય કે એન્ટાર્ટિકાનું બરફ ઓગળવું, ઠેરઠેર આવતા પૂર-વાવાઝોડા કે હમણાં જ આવેલા સુનામી જેવા ભયાનક વાવાઝોડાએ વિખ્યાત પર્યાવરણશાસ્ત્રોઓને જ નહિ, સર્વ સભાન નાગરિકોને અંતરથી હચમચાવ્યા છે અને વૈકલ્પિક (Alternative) જીવનશૈલીની શોધ માટે પ્રેર્યા છે. આ શોધમાં અનેક પર્યાવરણ વિજ્ઞાનીઓની નજર પ્રાચીન ભારતીય જીવનશૈલી અને જીવનદર્શન તરફ સહજ રીતે વળી છે. તેમાં પણ વર્ણવાયેલી પ્રકૃતિ સાથેની સંવાદિતા અને આદર તેમના હૃદયને સ્પર્શે છે. આમાં પણ જૈનદર્શનની અહિંસાપ્રધાન, સૂક્ષ્મ વિચારણા પણ ખાસ્સા આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્ઞાનધારા - આ પર્યાવરણ વિજ્ઞાનીઓના વિચાર પર્યાવરણ મનુષ્યજાતિ માટે ઉપકારક છે, માટે તેનું રક્ષણ કરવું જોઈએ એવી સ્વાર્થી મનોવૃત્તિમાંથી જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International ડૉ. અભય દોશી ૧૩૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy