SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાધિ – શારીરિક રોગ ઉપાધિ – ભાવનાત્મક રોગ શરીરની વ્યાધિનું મૂળ કારણ છે મન. આ મનની શુદ્ધિ માટે ચિત્તશુદ્ધિ આવશ્યક છે. ચિત્ત એટલે અખંડ ચૈતન્ય. ચિત્તમાં ભાવ ઉત્પન્ન થાય છે. આ ભાવની ક્રિયાને સંચાલિત કરે છે મન. આમ ચિત્ત, ભાવ અને મનનો પરસ્પર સંબંધ છે. શુદ્ધ ચિત્ત, શુદ્ધ ભાવ ઉત્પન્ન કરશે. અશુદ્ધ ચિત્ત ક્રોધ, માન, માયા, લોભ, કલહ વગેરે અશુદ્ધ ભાવ ઉત્પન્ન કરશે. મને તો માત્ર એક ઉપકરણ છે. ચિત્તશુદ્ધિ ભાવશુદ્ધિ મનશુદ્ધિ માટે, અમુક નિયમ જોઈએ. (૧) પ્રાયશ્ચિત - ભૂતકાળનાં પાપોને આત્મસાક્ષીએ કે ગુરુ સમક્ષ પ્રક્ષાત્તાપ કરવો. પાપોની શુદ્ધિ માટે તપ કરવું. (૨) દેવ, ગુરુ, વડીલોનું બહુમાન કરવું તે વિનય. (૩) વૈયાવચ્ચ : સંયમી, તપસ્વી, મહાવ્રતીઓની સેવા કરવાથી પણ શુદ્ધતા આવે છે. (૪) સ્વાધ્યાય, પાઠ-પઠન, ચિંતન, મનન કરી ભાવોની શુદ્ધિ કરવી. (૫) ધ્યાન - આર્ત-રૌદ્રધ્યાન છોડી ધર્મધ્યાન કરવું. (૬) કાયોત્સર્ગ : કાયાને પાપવ્યાપારોથી રોકી, ભાવથી ૧૮ પાપસ્થાનકોનો ત્યાગ કરવો તે. (૭) જીવનશૈલીમાં પરિવર્તન : આહાર-વિહાર સંબંધી નિયમોનું પાલન કરી આચાર-વિચારની શુદ્ધિથી ચિત્તશુદ્ધિ થશે. (૮) ભાવનો સંબંધ છે આભામંડળ (લેશ્યા) સાથે. જેવા ભાવ તેવું આભામંડળ, જેવું આભામંડળ તેવા ભાવ. માટે ભાવલેશ્યાઅધ્યવસાયની પવિત્રતા પર ધ્યાન આપવું. આધ્યાત્મિક રીતે વિકસિત ગુરુઓનાં સાંનિધ્ય માત્રથી શિષ્યનો આત્મિક વિકાસ થાય કારણ આ આભામંડળ. એક જીવનાં વિચારોનો જ્ઞાનધારા ) ૧ ૨ ૨. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy