SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવ તેની પાસે આવેલાં અન્ય જીવ પર પણ પડે છે. આને વૈજ્ઞાનિક ભાષામાં વીજ-ચુંબકીય શક્તિ કહે છે. માટે ચિત્તશુદ્ધિ માટે ગુરુની આવશ્યકતા છે. (૧૦)જાપ દ્વારા પણ મનશુદ્ધિ — ભાવશુદ્ધિ → ચિત્તશુદ્ધિ થાય છે. વાચિક જાપ - ઉચ્ચારપૂર્વક કરાય તે. w ઊપાંશુ જાપ હોઠ ફફડાવીને કરાય તે માનસ જાપ મનથી થાય તે. આમાં માનસ જાપ શ્રેષ્ઠ છે. - ૩. પર્યાવરણ : આજે પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે. જમીન, જળ અને વાયુ બધું જ પ્રદૂષિત થઈ રહ્યું છે. જૈન દર્શને વર્ષો પહેલાં આનાં ઉપાયો જણાવી દીધાં છે. સંયમી અને વ્રતી સમાજનું નિરૂપણ કર્યું છે. (૧) આજે જમીનમાંથી પેટ્રોલ, ધાતુઓ, કોલસા માટે અધિક ખોદકામ, ઉત્ખનન થઈ રહ્યું છે. મહાવીરે કહ્યું, ફોડીકમ્મે-ભૂમિનું ઉત્ખનન ન થાય, ન કરવું. - (૨) પીવાલાયક પાણી ઓછું થઈ રહ્યું છે. ઉદ્યોગોના ઝેરીલા રાસાયણિક પદાર્થો સીધા જળાશયમાં જાય છે. સમુદ્રી માર્ગથી જઈ રહેલાં જહાજોમાંથી કરોડો ટન તેલ ફેલાઈ રહ્યું છે. પરિણામે સમુદ્રી જંતુઓનો સંહાર થાય છે. મહાવીરે સીમિત ઉપયોગની વાત કરી જળનું પરિમાણ, વાહનનું પરિમાણ, દિશાનું પરિમાણ કરવાથી આ સમસ્યા પર નિયંત્રણ આવી શકે. જ્ઞાનધારા (૩) હવાનું પ્રદૂષણ શ્વાસોચ્છ્વાસ દ્વારા આપણાં શરીરમાં ઝેરી વાયુ જાય છે. વાહનો દ્વારા નીકળતો ધૂમાડો ફેંફસામાં પહોંચી નુકશાન પહોંચાડે છે. આજે આંખ, નાક, ગળામાં બળતરા તથા રોગો વધી રહ્યાં છે. મહાવીરે કહ્યું વાકમ્મે-જંગલોની વાઢકાપ ન થાય. આમ, ૧૨ વ્રતરૂપી સંયમધર્મનું આચરણ તેમજ ૧૪ નિયમ દ્વારા ૧૨૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy