SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્કરનો અંત આવ્યો નથી એ હકીકત છે. એટલે અનેકવાર મનુષ્ય જન્મ લેવા છતાં આપણા જીવનની સાધના સાચા માર્ગે નથી થવા પામી. જૈનધર્મ મનુષ્ય દેહ કરતાં મનુષ્યત્વ ઉપર જ વધુ ભાર મૂકે છે. ભગવાન મહાવીરે પણ પોતાની અંતિમ દેશનામાં કહ્યું જ છે કે માનુસં વનુ પુન્નરૂં' અર્થાત્ હે ભવ્ય જીવો! મનુષ્યત્વ પામવું એ જ દુર્લભ છે. ઉત્તરાધ્યયન સૂત્ર (અ-૭-૧૬)માં કહ્યું છે કે મનુષ્યત્વ એ મૂળ મૂડી છે. અને દેવગતિ એ લાભ છે, એ મૂળનો નાશ થવાથી જીવો નારક અને તિર્યંચ તરીકે ઉત્પન્ન થાય છે. ધર્મનું મૂળ દયા છે. એમ જાણી સર્વ જીવો ઉપર દયા કરવી જોઈએ. દુઃખી જોઈને અનુકંપા લાવે, યથાશક્તિ સહાય કરી દુ:ખમાંથી બચાવે, મોતના પંજામાંથી છોડાવા પ્રયાસ કરવો જોઈએ. શ્રાવક મનથી સર્વ જીવો પર મૈત્રીભાવ અને દયાભાવ રાખે છે. ગુણાધિક પ્રત્યે પ્રમોદ (હર્ષ) ભાવ રાખે છે. દુ:ખી જીવો પર કરુણાભાવ રાખે છે અને દુષ્ટ તરફ મધ્યસ્થ ભાવ રાખે છે. અનાથ, અપંગ, દુઃખી જીવોને યથાશક્તિ સહાય કરે છે. અને કઠોરવૃત્તિનો ત્યાગ કરી સદા નમ્રભાવ ધારણ કરે છે. “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.'' મૈત્રી શક્તિ છે. જે મૈત્રીથી જીવે છે એ જ ખરેખર જીવે છે. મૈત્રી આત્માનો સ્વભાવ છે. ત્યાં જ પ્રભુ છે. જ્યારે આપણું મન ઘૃણાથી તિરસ્કારથી વૈરથી ભરાય છે. ત્યારે આપણે અશક્ત બની જઈએ છીએ. આપણા પોતાના આત્મા પરમાત્માથી સંબંધ તૂટી જાય છે. પરિણામે દુઃખ અને સંતાપ પેદા થાય છે. તીર્થંકર મહાવીરના મિત્રતાના સંદેશને બુલંદપણે દર્શાવતી આ ભાવના જગતના દરેક જીવને આવરી લે છે. જો બીજા કોઈ સાથે શત્રુતા હોય તો નક્કી પ્રથમ ‘સ્વ' સાથે દુશ્મની હોવાની કારણકે રાગ, જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા - Jain Education International 62 For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy