SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મમાં માનવસેવા જીવધ્યા - રાષ્ટ્રચિંતન ડૉ. રમણીકભાઈ જી. પારેખ (એમએસ.સી., પીએચ.ડી., એફ.આઈસી. થઈ સેંટ્રલ સોલ્ટ એન્ડ મીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં સંશોધન કાર્યમાં જોડાયા અને પીએચ.ડીના ગાઈડ છે.) પ્રભુ મહાવીર સ્વામીનો સંદેશ એટલે જીવનદષ્ટિ અને જીવનકળા. સરિત્ર એટલે જીવનકળા જે તેમણે જીવી બતાવી છે, આચરી બતાવી છે. સામાના અવગુણો ન જોતાં પોતાના અવગુણો જુઓ. મન વાણી અને દેહની એકતા સાધો. ત્રણેયનું સંવાદી સંગીત પેદા કરો. જે વિચારો તે જ બોલો અને તે જ પ્રમાણે વર્તન કરો. વચનને જ નહિ, વિચાર અને વર્તનને વિષ જેવા વિષમ બનાવી દેવાનું કામ ક્રોધ કરે છે અને વાત્સલ્યમય બનાવવા હોય તો વિચાર, વાણી અને વર્તન એ ત્રણેય ભૂમિકા પર ક્ષમા ધર્મની આરાધના અવશ્ય અપેક્ષિત છે. ક્ષમા એ વિશ્વશાંતિનો રમણીય રાહ છે. ક્ષમા માંગવી અઘરી છે અને ક્ષમા આપવી તો અઘરામાં અઘરી છે પરંતુ જીવનમાં ક્ષમા રાખવી સહેલી છે. ભગવાન મહાવીરે આચારમાં અહિંસા, વિચારમાં અનેકાન્ત, વાણીમાં સ્યાદ્વાદ અને સમાજમાં અપરિગ્રહ ઉદેશ્યા છે. નિત્ય સામાયિક અને પ્રતિક્રમણ જેવી સાધના આપણો વારસો છે. જેન આગમોનું પરિશીલન, ચિંતન, જીવનમાં ખૂબ માર્ગદર્શક છે. જૈનદર્શનમાં ચાર આધાર જ્ઞાન દર્શન ચારિત્ર્ય અને તપ છે. જેમાં તપનું મહત્ત્વ અનેરૂં છે. તપશ્ચર્યામાં માત્ર આહારત્યાગ નથી પરંતુ એને લઈને અન્ન અને ધનની બચત થાય છે. પરિગ્રહ છોડવાની સાથે એના દ્વારા બીજા સાધર્મિકની ઓછામાં ઓછી પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવાનો ખ્યાલ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International ૮૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy