SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવો જોઈએ. દાનનો મહિમા ખૂબ છે. નિરપેક્ષ દાન એ એક એવી ભાવના છે જે કરનાર અને મેળવનાર બંનેને લાભદાયી છે. દાન શીલ તપ ભાવમાં દાન મોખરે છે. દાનનો અર્થ છે દેવું, છોડવું, વિસર્જન થવું. આપણું દાન દરિદ્રનારાયણની ભૂખ સંતોષવા મદદગાર બને, આપણો ત્યાગ અન્ય વ્યક્તિના જીવનમાં નવો પ્રકાશ આપનાર બને, આપણા ધર્મનું આચરણ કોઈનું દુઃખ ઓછું કરવામાં કારણરૂપ બને, કોઈની આંખના આંસુ લુછનારું બને તે જ ધર્મ સાર્થક કહેવાય. દાન કરૂણા, અનુકંપા, દયા, અહિંસક પ્રવૃત્તિ માનવસેવામાં જનકલ્યાણ અર્થે વપરાય તેનું જીવન ઉમદા, ઉત્તમ ધન્ય છે. : એક વખત ગુરુ ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે હે ભગવંત, એક વ્યક્તિને દેવદર્શન કરવા જવું છે. સાથે પીડિતની સેવા માટે તાત્કાલિક પહોંચવું છે તો પ્રથમ ક્યાં જવું જોઇએ ? ભગવાને ઉત્તર આપ્યો કે ગૌતમ, પીડિતની - દર્દીઓની દરિદ્રનારાયણની સેવામાં પ્રથમ પહોંચાય તો તેમાં દેવદર્શનનો સમાવેશ થઇ જાય છે. સૌથી વધારે અગત્યતા માનવસેવા જનસેવા અબોલ પશુઓની છે. ધર્મમાં તપ જપ સાથે જીવદયા, દીનદુઃખીઓની સેવા, કોઈનું સંકટ નિવારણ એ ધર્મની ઉચ્ચ કક્ષા છે. ફળ ફૂલ વિનાનાં વૃક્ષો પણ અન્યને છાંયડો આપી શકે છે ત્યારે માનવદેહમાં દાનધર્મ ન હોય તો તેનામાં બીજા બાહ્ય ધર્માચારો હોવા છતાં ય શુષ્ક અને શૂન્ય સમજવા. ગરીબ રોગી, અનાથ માણસો આપણી પાસે આવે ત્યારે આપણે સદ્ભાવથી, લાગણીથી સાંભળી યોગ્ય માર્ગદર્શન આપવું. જરૂર પડે તો યથાશક્તિ ઉદારતાપૂર્વક સ્વૈચ્છિક સહાય આપવી. તેની યોગ્યતા વિશે દયાળુ અંતઃકરણ પૂર્વક વિચાર કરવો પરંતુ ભૂલથી તેને ધુત્કારી ન કાઢવો. - આપણે ગુરુસેવા, માબાપની સેવા, માનવસેવા કરીને પરમાત્માના જીવનને અનુસરીએ. સેવા એટલે ત્યાગ સમર્પણની હૃદયના ઉંડાણની ઊર્મિલ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International ૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy