SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ રતિભાઈ! રતિભાઈ વિષે ગયા વર્ષે મને નિરૂભાઈએ ઘેર બોલાવ્યો ત્યારે ઘણું બોલ્યો છું. રતિભાઈએ મને લખતો કર્યો. સાચના કટકા જેવો માણસ! ભલભલા આચાર્યનું પણ નબળું, નકામું ચલાવી ન લે, સ્વીકારે નહિ. ક્યારેક કોઈને અપમાન જેવું ય લાગે. ત્યારે અઘરા, આખાબોલા લાગે. નારિયેળનું ઉપરનું કોચલું કડક, પણ વધેરાય ત્યારે ભીનુ-ભીનું. મને ખબર છેઃ રતિભાઈ રડે. અમને આકરા ઠપકો આપે, પણ બીજી વાર મહારાજને મળવા જાય ત્યારે રડે – literally (સાચેસાચા અર્થમાં) કહું છું. કહે: “તમને ગાળ દેવા કે રડાવવા નથી ઇચ્છતો. પણ તમારા માટે મારું મન દાઝે છે. તમારા પગ પકડવા તૈયાર છું. તમે મને કહો તે કરવા તૈયાર છું. પણ આપણી જ્ઞાનસ્થિતિ, જ્ઞાનની પરિણતિ, આપણું ચારિત્ર્ય નિર્મળ હોવાં જોઈએ.” ત્યારે સાધુ-મહારાજ સામેથી એમના પગ પકડી માફી માગે! આવા હૃદયવાળા તેઓ હતા. મને લખતો તો કર્યો જ. હું લખતો નહોતો. નંદનસૂરિ મહારાજને કહેઃ “આ માણસ (મારા માટે કહે) કંજૂસ છે. મરી જશે તો અવગતિએ જશે! એને લખાવો.” આવું કહે ત્યારે મહારાજ મારી સામે જોઈ હસે ને કહે : “રતિભાઈનું સાંભળ ને.” મહાવીરસ્વામીની પચીસમી શતાબ્દી ઉજવાઈ ત્યારે “જૈન” પત્રમાં અગ્રલેખ સાથે દસ લીટીની નાનકડી કૉલમ લખાય. મને કહે : ““તેમાં તમારે લખવાનું છે. ખસી જવાનું નથી.” હું કહું કે મને લખતાં નથી આવડતું. તેમણે મને માત્ર લખવાનું જ ન શિખવાડ્યું, પણ વિચાર કરવાનું પણ શિખવાડ્યું. જૈન સમાજની મોટામાં મોટી crisis (કટોકટી) હોય તો તે છે there is no thinking (કોઈ વિચારતું જ નથી). તેઓ કહે : ““બધા વિચારો અમલમાં આવતા નથી; પણ વિચારો. તમે આગળ-પાછળનાં પરિણામો, પ્રયોજનો, જવાબદારીઓ વિચારો, તપાસ કરો અને પછી લખો. વીણી-વીણીને શબ્દો લખો. એક શબ્દ નકામો ન હોય. તમારો શબ્દ કોઈને વાગવો ન જોઈએ અને છતાં ય સંપૂર્ણ હોય, પહોંચે તેવો હોય. તમારા લેખમાં જોડણી, વ્યાકરણ તો સાચાં હોય જ, પણ વિચાર પણ સાચો હોવો જોઈએ.” મને અનુસ્વાર લખતાં પણ શિખડાવ્યું. હું તો ગમે ત્યાં અનુસ્વાર લખું. પોતાના હાથે કાગળમાં સુંદરનું અનુસ્વારના ઉપયોગ વિષેનું અષ્ટક(?) લખ્યું અને જોડે ટિપ્પણ લખી. વળી કહે : ““ગુજરાતી જોડણીકોશ રાખો; તે વિના ન ચાલે. તમારે શુદ્ધ લખવાનું છે.” એક મિત્રે મારી ઉપર અમદાવાદથી કાગળ લખ્યો. ત્યારે હું પૂના હતો. અનામત વિષે લખ્યું કે તે ગુણના ધોરણે, qualityના ધોરણે હોવું જોઈએ. એ વાંચી મેં એમને આખું પાનું ભરીને લખ્યું કે અનામત ગુણવત્તાના ધોરણે જ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ વગેરે. પેલા ભાઈને હોંશ થઈ તે મારો પત્ર જઈને રતિકાકાને બતાવ્યો. અને પછી... રતિકાકાએ મને કાગળ લખ્યો. એક ગુરુ એમના શિષ્યને આવો કાગળ ન લખે. એક બાપ દીકરાને ન કહી શકે – પૂછો નીતીનભાઈને. કાગળમાં લખ્યું: “સાધુ છો કે કોણ છો? જે-તે લખવા બેસી જાવ છો! કંઈ ભાન છે કે નહિ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004535
Book TitleShatabdi Vandana
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy