SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આ બહુ આકરું છે. માથું પાકી જાય. કાગળ વાંચીને મેં લખ્યું કે ‘‘મારા કાગળ વિષે તો મને ભાન નથી, પણ તમારો પત્ર વાંચી મને ભાન થાય છે કે મેં કાંઈ ખોટું કર્યું છે. માફી માગું છું.” આવી ભૂલ કોણ જુએ? અવગુણ કોણ બતાવે? આવું કોણ ધ્યાન દોરે નિર્મળ મનથી? આગળ ઉપર હું ‘જૈન'ના અગ્રલેખો લખવા માંડ્યો. ત્રીસ અંકો સુધી મેં લખ્યું. કોઈ અશુદ્ધિ કે દોષ વિષે ધ્યાન દોરું. તટસ્થપણે લખું. પણ સ્પષ્ટ શબ્દોમાં લખતો. ક્યારેક આકરા શબ્દો પણ લાગે. છેવટે એમનો એક પત્ર આવ્યો : ‘‘મહારાજ, હવે તમે એક વળાંકે પહોંચ્યા છો, જ્યારે નક્કી કરવાનું છે કે તમારે સંશોધનના ક્ષેત્રે જવું છે કે સમાજ-સુધારણાના? You have to decide (તમારે નિર્ણય કરવો જ પડશે). બે ઘોડે નહિ ચઢી શકો. જો સમાજ-સુધારણાના જ ક્ષેત્રે જવું હોય તો આ લેખો ચાલુ રાખો, અને સંશોધનના ક્ષેત્રે જવું હોય તો આ લેખો બંધ કરો.” નિર્મમ થવું જ પડે. અને પછી મેં વિચાર્યું કે મારું ગોત્ર તો સંશોધનનું જ છે. સમાજસુધારણાનું મારું કોઈ ક્ષેત્ર(?) નથી, સમાજસુધારણાનું મારું સ્ટૅન્ડર્ડ (ધોરણ, કક્ષા) નથી. આપણે તો નક્કી કરી લીધું. આ રતિભાઈની મજા તો એ, કુમારભાઈ, કે હું ‘જૈન' માટે લેખો લખું તે રતિકાકાને આપવાના અને રતિકાકા સુધારે. હું લખું ‘જયભિખ્ખુ’ની શૈલીમાં, અને લેખ છપાય ત્યારે હોય ‘જયભિખ્ખુ’-cum-રતિલાલની શૈલીમાં! ત્યારે બૂટેરાયજી મહારાજનું ચરિત્ર લખાયું હતું. તે વખતે હીરાલાલજી દુગ્ગડનો પત્ર નંદનસૂરિ પર આવ્યો : ‘‘સી પ્રસ્તાવના આપજો લિવની હૈ ।'' એટલે નંદનસૂરિએ મને લખવા કહ્યું. આ તો આદેશ હતો. કહે : ‘‘તારે હિન્દીમાં લખવાનું છે.” ને મને હિન્દીનો હૈં પણ નહોતો આવડતો! ગુજરાતી જ નથી આવડતું, ત્યાં હિન્દી ક્યાંથી આવડે? રતિભાઈ મને કહે : ‘‘તમે પહેલાં ગુજરાતીમાં લખો. પછી હિન્દીમાં લખો, ને મને આપો. હું મઠારી આપીશ. ચિંતા ન કરો.” શેત્રુંજયની પ્રતિષ્ઠા વખતે ત્યારે અમારો વિહાર ચાલતો હતો; તે વખતે મારી અગ્નિપરીક્ષા થઈ. એ પાંચ-છ પાનાં લખવાનું આકરું હતું. મને નવાઈ લાગે છે કે મારું એ લખાણ રતિભાઈએ પ્રમાણ્યું. રતિભાઈએ સુધારી આપ્યું અને છપાયું. વૈચારિક દરિદ્રતાનું નિવારણ થયું. વિચારની પુખ્તતા આવી. દૃષ્ટિબિંદુ મળ્યું. ‘જયભિખ્ખુ’માંથી શૈલી મળી. કોઈ દહાડો તેમને મળ્યો નથી. હા, જયાબહેનને મળ્યો છું. અમદાવાદમાં હોઉં અને જયાબહેનને મળવા ન ગયો હોઉં એવું નથી બન્યું. દીકરો હોઉં તેમ વ્હાલ વરસાવે. ઠપકો ય આપે : ‘‘કેમ પાતરાં લીધા વિના આવ્યા?” જયભિખ્ખુને મળવાનું થયું નથી. એ વખતે ઉપાશ્રયની બહાર જવાની કોઈને ઇજાજત (રજા) નહોતી. ઘરમાં બેસી વાંચવાનું. રતિભાઈ પાસે મારે જવાનું ન બનતું, પણ રતિભાઈ સામેથી આવે – પેઢીના ઇતિહાસના કામ અંગે. શેઠ આ. ક.ની પેઢીનો ઇતિહાસ લખાતો હતો. ઝવેરીવાડમાં બેસે. ક્યારેક જતી વખતે આવે; પણ મોટે ભાગે પેઢીનો સમય પૂરો થાય ત્યારે આવે. નિરાંતે દોઢ-બે કલાક બેસે. બધાં લખાણો સાથે બેસીને વાંચીએ, વિચારીએ. મારી ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004535
Book TitleShatabdi Vandana
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy