SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કથા (હરિકેશ મહાત્માની) : મથુરામાં શંખ રાજાએ દીક્ષા લીધી. જ્ઞાની થયા. ભિક્ષા કાજે હસ્તિનાપુર આવ્યા. સોમદેવ પુરોહિતને માર્ગ પૂયો. તેણે દ્વેષથી વ્યંતર-અધિષ્ઠિત અગ્નિમય શેરી દેખાડી. મહાત્મા તે માર્ગે ગયા. એમના પ્રભાવે વ્યંતર નાઠો. શેરી શીતળ બની. ધર્મનો આ પ્રભાવ જોઈ સોમદેવના મનમાં પશ્ચાત્તાપ થતાં મહાત્માને ખમાવ્યા. દીક્ષા લીધી. ખરું ચારિત્ર તો પાળે છે. પણ થોડો બ્રાહ્મણજાતિનો મદ કરે છે. મરીને દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી નીચા ગોત્રમાં કર્મોદયે બલકોટ્ટ નામે માતંગના ઠાકુરની પત્ની ગૌરીનો પુત્ર હરિકેશબલ થયો. એક વાર આંબાના સ્વપ્નનો સંકેત પામી વસંતોત્સવમાં રમતો હતો. ઝઘડો થતાં બહાર કાઢ્યો. એક જગાએ લોકોએ ખૂબ મારેલો સાપ જોયો. હળુકર્મી આ બાળકને એવો વિચાર આવ્યો કે બધાયે જીવો પોતાના જ ગુણદોષે સુખી કે દુઃખી થાય. એવામાં તેને એક મહાત્મા મળ્યા. ધર્મ સાંભળતાં વૈરાગ્ય ઊપજ્યો. દીક્ષા લીધી. દેવને સેવનીય થયો. તેમ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયો. આ વાત આગળ કરી છે.. બિસ્થિપસુસંકિલિä વસહિં ઈન્થીકહ ચ વક્તિો , ઇન્થિ જણસંનિસિર્જન નિરૂવર્ણ અંગુવંગાણ. ૩૩૪ ઇત્યિક જિણઈ ઉપાશ્રયમાં મનુષ્યની અથવા દેવની સ્ત્રી હુઇ, અનઈ પશુ તિર્યંચની સ્ત્રી હુઇ, તીણઈ ઉપાશ્રય મહાત્મા ન વસઈ ૧, ઇત્યિ કહે, સ્ત્રીની કથા-વેષ-ભાષા-આભરણાદિ વિષઇણી કથા ન કરઈ, અથવા એકલી સ્ત્રી આગલિ ધર્મકથાઈ વર્જઈ ન કહઈ ૨, ઇત્યિ જાણસ્ત્રીજનનાં આસણ બઇસણ ન વાવરઇ, સ્ત્રી ઊક્રિયાઈ પૂઠિઇ ૩, નિરુવ અનઈ સ્ત્રીના અંગોપાંગ આંખ મુખ-હૃદયાદિકનઉં નિરૂપણ જોઅવ૬ વર્જઈ ૪. ૩૩૪. [જે ઉપાશ્રયમાં મનુષ્ય કે દેવગતિની સ્ત્રી હોય કે પશુતિર્યંચની સ્ત્રી હોય ત્યાં મહાત્મા ન વસે (૧). સ્ત્રીની કથા - વેશ, ભાષા, આભરણ આદિ વિષયક - ન કરે અથવા એકલી સ્ત્રી આગળ ધર્મકથા ન કરે (૨). સ્ત્રીનાં આસનબેસણ ન વાપરે; સ્ત્રીના ઊઠી ગયા પછી પણ (૩). સ્ત્રીનાં અંગોપાંગ જોવાં ત્યજે (૪)..] પુવરયાણુસ્મરણે ઇન્દિજણવિરહરૂવવિલ ચ, અછબહુર્ય અઈબહુavસો વિવજવંતો આહારે. ૩૩૫ પુત્ર. ગૃહસ્થપણઈ જે કીડા કીધી છઇ, તેહનઉં સ્મરિવઉં ટાલઇ ૫, ૧ ક નિસિજ્જ ખ સંનિસર્જ. ૨ ખ .... સ્મરણં (“સ્મરણેને સ્થાને) ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy