SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જિ ગુણે સુખિયા થાંÛ, ઇસિઉં ચીતવતાં મહાત્મા મિલિયા, ધર્માં સાંભલિઉ, વૈરાગ્ય ઊપનઉં દીક્ષા લીધી, દેવહુઇ સેવનીય થિઉં, જિમ યજ્ઞપાટિક ધર્મનઉ મહિમા દેખાડી, બ્રાહ્મણી બૂઝવી, કેવલજ્ઞાન ઊપાર્જ્ડ મોક્ષિ પહુતઉ એ વાત આગઇ પહિલઇ, ‘સઇ, ઇ' નકુલ અસ્થિ પહાણં' ઈણઇ ગાથા કહી છઇ. ૩૩૩. હવ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ રૂપ છઠ્ઠઉં દ્વાર કહઈ છઈ. મહાત્મા ગાઢ તપસંયમને વિશે ઉદ્યમ કરતા જાતિ-કુલના મદ આદિનો ગર્વ કરે તો મેતાર્ય મુનિ અને હરિકેશ મહાત્માની પેરે તે હીણા થાય અને નીચ જાતિ-કુલ પામે.] કથા (મેતાર્યમુનિની) : ઉજ્જૈનમાં સાગરચંદ્રે પોતાના ઓરમાન ભાઈ ગુણચંદ્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી. રાજા અને પુરોહિતના પુત્રો ઉજ્જયિનીમાં મહાત્માનો નાશ કરે છે તે સાંભળી સાગરચંદ્ર ઉજ્જયિની ગયા. રાજા ને પુરોહિતના પુત્રો બંનેને શિખામણ આપી બળથી દીક્ષા આપી. પુરોહિતપુત્ર બ્રાહ્મણ હોઈ જાતિમદ કરે છે. બેઉ જણા ચારિત્ર પાળી દેવાલોકે ગયા. જે પહેલો ચ્યવે તે બીજાથી બોધ પામે એમ સંકેત કર્યો. પહેલાં પુરોહિતપુત્રનો જીવ આવી મેઇણિના ગર્ભમાં અવતર્યો. રાજગૃહમાં આ મેઇણિ એક શેઠને ત્યાંથી ખરીદી કરતી. શેઠાણીને બાળક જીવે નહીં એટલે આ મેઇણિએ પોતાનો બાળક પ્રેમથી શેઠાણીને આપ્યો અને શેઠાણીની પુત્રી પોતે લીધી. શેઠ આ વાત જાણે નહીં. આ પુત્રને મેતાર્ય નામ આપ્યું. મિત્ર દેવે એને જ્ઞાન આપ્યું પણ તે જ્ઞાન પામ્યો નહીં. નહિ તો આઠ વેપારીઓની કન્યાને તે પરણે. દૈવતાની અધિષ્ઠીએ મારો પુત્ર આવી ઋષિકન્યાને કેવી રીતે પરણે ?” એમ કહેતાં પાલખીમાં ઉપાડી તેને મે૨ને ઘેર આણ્યો. દેવતા કહે ‘તું જ્ઞાન પામ.' મેતાર્ય કહે ‘હું તો જ જ્ઞાન પામું જો મને મહત્ત્વ અપાય.' દેવતાએ તે વાત સ્વીકારી, મેઅને ઘેર એક બોકડો લીંડીને બદલે રત્ન મૂકતો દિવ્ય સામર્થ્યથી ઉત્પન્ન કર્યો. રત્નોની થાળ ભરીને મેઅ ત્રણ દિવસ રાજાને ભેટ ધરે છે. અભયકુમાર મંત્રીશ્વરે કારણ પૂછતાં મેઅ કહે, “મારા પુત્રને રાજાની પુત્રી આપો.' પછી નગર ફરતો સોનાનો ગઢ ને વૈભારગિરિએ પાળ બંધાવ્યાં. પછી ક્ષીરસમુદ્રનું પાણી મંગાવી મેતાર્યને નવડાવી પોતાની પુત્રી રાજાએ મેતાર્યને પરણાવી. બીજી વેપારીઓની કન્યા એને પરણી. ‘હવે મને વિષયસુખ ભોગવવા દે. પછી તું કહીશ તે કરીશ’ એમ કહી દેવતાને મનાવી ચોવીસ વરસ ગૃહસ્થવાસ રહી એમણે દીક્ષા લીધી. પછી સોનારે વિઘ્નો નાખતાં મેતાર્યને કેવલજ્ઞાન ઊપજ્યું. મોક્ષે પહોંચ્યા. એ વાત આગળ કહી છે. ૧ ખ ‘ઇ' નથી. ૪૦ Jain Education International For Private & Personal Use Only શ્રી સોમસુંદરસૂરિષ્કૃત www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy