SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ આસને બેસી ન શકે. સંથારો નાખતાં જમાલિ મહાત્માને પૂછે “સંથારો નાખું ?” મહાત્મા કહે “નાખ્યો.” જમાલિએ જોયું કે તે અડધો નાખેલો છે. એટલે જમાલિ કહે ‘તમે કેમ કૂડું બોલ્યા ?” મહાત્મા કહે, “પરમેશ્વરે કહ્યું છે કે કરતાની સામે કર્યું કહેવું.” જમાલિ કહે, “પરમેશ્વરનું એ વચન કૂડું – ખોટું છે. મહાત્મા કહે, “કોઈ પુરુષ ગામ જવા લાગ્યો હોય તો ગામે ગયો” એમ કહીએ. વાસણનો કોઈ કટકો ભાંગતાં “વાસણ ભાંગ્યું' કહીએ. વસ્ત્રનો માત્ર છેડો ફાટતાં વસ્ત્ર ફાટ્યું' કહીએ. એમ અધૂરું કામ કર્યા છતાં કામ કર્યું કહીએ” આમ અનેક યુક્તિએ સમજાવે પણ તે સમજે નહીં. તે મહાત્માનું છોડી જમાલિ મહાવીર પાસે ગયા, અનીદ્યા ઢંકકુમાર શ્રાવકને ઉપાશ્રયે રહે છે. આડી બાંધેલી કામળી ઉપર તે શ્રાવકે અંગારો નાખતાં કામળીમાં કાણું પડ્યું. મહાસતી કહે, “શ્રાવક, અમારી કામળી કેમ બાળી ?” શ્રાવક ઢંક કહે, “શ્રી મહાવીરની મતિએ ‘બળી કહેવાય, પણ તમારી મતિએ તો બળવા લાગી છે” કહેવાય. પુરી બળી હોય તો બળી' કહેવાય.” આ વચનથી સાધ્વી બોધ પામી. તે “ મિચ્છા મિ દુક્કડ આપે છે. જઈને જમાલિને બોધ પમાડે છે. પણ તે બોધિત થતો નથી. નિદ્ભવ થયો. તેણે તપ ઘણાં કર્યો, તોપણ અનંતા સંસાર ઉપર્યા. સાધ્વીજી મહાવીર પ્રભુ પાસે જઈ ચારિત્ર આરાધી મુક્તિએ ગયાં. આ રીતે જમાલિ આવો નિહનવ બની મરીને કિલ્બીષિયા દેવ થયો. એમ જીવ ઉન્માર્ગે વર્તતાં પડે છે... ઇંદિયકસાવગારવમએહિં સમય કિલપરિણામો, કમ્મઘણમહાજાલે અણસમય બંધએ જીવો. ૪૬૦ ઇંદિય, પાંચઈ ઇંદ્રિય, આરિ કષાય, ક્રોધાદિક, ત્રિણિ ગોરવ, આઠ મદ એહ કરી સમયે સતત નિરંતર કિલષ્ટ પરિણામ મેઇલઈ અભિપ્રાઈ વર્તત એ જીવ કમ્મઘણા કર્મ જ્ઞાનાવરણીયાદિક તેહ જિ જીવરૂપીઆ ચંદ્રમાઈ આચ્છાદકપણા થિકઉ ઘન ભણીઇ મેઘ તેહના મહાજાલ મહાસમૂહ અણુસમય સમઈ સમઈ ક્ષણિ ક્ષણિ બાંધઈ, આપણપઉં કર્મ કરી વીટઈ, એ સહુ વિષયસુખનઉ વાહિક જીવ કરતું, તે વિષયસુખ ત પાપના ખંતૂઆલિવાઈ" જિ સરીખઉં, પરમાર્થવૃત્તિઈ દુખહેતુઈ જિ, નિર્વિવેક જીવ, તેહનઈ વિષઈ સુખબુદ્ધિ કરી પ્રવર્તઇ. ૪૬૦. એહ જિ વાત કહઈ છઈ. પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, ત્રણ ગારવ, આઠ મદ – એનાથી સતત ક્લિષ્ટ પરિણામે વર્તતા જીવરૂપી ચંદ્રમાને જ્ઞાનાવરણીયાદિ કર્મો મેઘની જેમ ૧ ખ પાંડ્વ. ૧૦૮ શ્રી સોમસુંદરસૂરિકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy