SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાન તપસ્વીને ઈહલોક નથી, વ્યવહાર કરી કાંઈક પરલોક છે. જે નટ-વિટ આદિ ઈહલોકમાં ખાય-પીએ ને ધર્મ ન કરે તે મરીને નરકમાં જાય. તેને વ્યવહાર ઈહલોક છે, પરલોક નથી. જે વેપારી વગેરે ઈહલોકમાં લક્ષ્મીનું સુખ ભોગવે છે, દાનપુણ્ય આદિ કરે છે તેને બંને ભવ રૂડા છે. જે ચોર જુગારી છે તે ઈહલોકમાં દુઃખી છે ને પાપ કરી નરકમાં જતાં આવા જીવને બંને ભવ દુઃખી છે. નરયનિરુદ્ધમઈણે દડીમાઈણ જીવિર્ય સેય, બહુવર્યામિ વિ દેહ વિસુક્ઝામણસ્સ વર મરણ. ૪૪૨ નર નરકનઈ વિષઇ નિરુદ્ધ સ્થાપી, આપણી મતિ ઠઈ જીણઈ એતલઈ એતલઈ નરક મહાપાપ જે કરઈ છઇ, દંડિય. ઇસ્યા જે દંડિરાય મહંતા પ્રમુખ જે જીવ નરકગામી, ઈહલોકિ સુખ ભોગવઇ છઇં. તેહહૂઇ જીવિતવ્ય જીવવિઉં, શ્રેય રૂડઉં, જેહ ભણી કેતલાઈ દિહાડા ઇહલોકિ સુખ ભોગવસિઈ તે ૧, બહુવા અનઈ કહિ એકનઈ સબરિ બહુ ઘણા અપાય રોગ ઊપનાં છઇં, ગાઢી વેદના સહી સકતી નથી, પણ ડિસુઝા મનનઉ ધ્યાન વિશુદ્ધ ચોખઉ નિર્મલ છઇં, મનનઉ પરિણામ રૂડી છઇ, તેહનઈં, વર મરણ, મરણ રૂડઉં, જેહ ભણી તે મેં પૂઠિઈ સુગતિઇ જાઇ, તિહાં સુખ પામઈ ૨. ૪૪૨. રાજા, મંત્રી વ. જીવો જે નરકગામી તેઓ ઈહલોકમાં સુખ ભોગવે છે તેમને જીવવું રૂડું છે. પણ અહીં ઘણા રોગ ઉત્પન્ન થતાં વેદના અસહ્ય બને પણ મનથી વિશુદ્ધ ધ્યાન ધ્યાવે તેને મરણ રૂડું છે. કેમ કે મર્યા પછી તે સુગતિએ જઈ સુખ પામશે.] તવ-નિયમમુક્રિયાણ કલ્યાણે જીવયે પિ મરણે પિ, જીવંતડત ગુણા મયા વિ પુણ સુગઈ જીતિ. ૪૪૩ તવ જે જીવ તપનિયમનઈ" વિષઈ સુસ્થિત છઇ, ધર્મનાં વિષઈ દઢ છઈ, તેહçઈ કલ્યાણં જીવિવઉં, અનઈ મરીવઉઇ, બેઈ કલ્યાણ રૂડાં, કાંઈ જેહ ભણી જીવંતતે જઉ ઘણઉં જીવઈ તઉ અનેક ગુણ ઊપાર્જઇ, ધર્મના માર્ગ અનેક વૃદ્ધિવંતા કરશું, અનઈ મયા વિ. તે મૂઆઈ પૂઠિઇ સુગતિ જાઇ, દેવલોકિ અથવા મોક્ષિ, એહ ભણી તેહçઇ જીવિવ૬ મરિવઉં બેઈ રૂડાં ૩.૪૪૩. જે ધર્મ વિષયમાં દઢ તેને જીવવું મરવું બંને રૂડાં. કેમ કે ઘણું જીવે તો અનેક ગુણ ઉપાર્જે ધર્મમાર્ગ વૃદ્ધિવંત કરે ને મર્યા પછી દેવલોક-મોક્ષે જાય.. ૧ ક સેય નથી. ૨ ખ, ગ ઠ નથી. ૩ ખ ગ હિંસાદિક મહાપાપ. ૪ ખ કરિવઉં ગ ચારિત્રઉ. ૫ ક તપનિયમ મનનઈ. શ્રી સોમસુંદરસૂરિકતા ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy