________________
સાધુવેશ જો સદર્શનથી રહિત હોય તો તે પણ નિષ્ફળ જાણવું. ચારિત્રક્રિયારહિત તપ નિરર્થક છે અને મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થતું નથી.]
જહા ખો ચંદણભારવાહી ભારસ ભાગી ન હુ ચંદણસ્સ, એવં ક્ખ નાણી ચરણેણ હીણો નાણસ્સ ભાગી ન હું સુગંઈ એ. ૪૨૬૧
જહા૰ જિમ ખર રાસભ પાહě કોએક ચંદન સૂકિડનાં લાકડાનઉ ભાર પૂઠિઇં ઘાતી વહાવઇ, ભારસ૰ તે રાસભ બાપડઉ ભારઇ જ નઉ વિભાગીઉ હુઇ પુણ જે ચંદનના પિરમલનઉં લેવઉં, શરીરિ વિલેપનઉં કરવઉં, તેહનઉ વિભાગીઉ ન હુઇ, એવં ખુ૰ ઇમ જ્ઞાનનઉ ધણી ચારિત્રકિયાઇ રહિત હતઉ જાણિવા જિ માત્રનઉ વિભાગીઉ હુઇ, પુણ જે તેહનઉં ફલ સુગતિ મોક્ષરૂપ તેહનઉ વિભાગીઉ ન હુઇ.શ્ન પરિમલ સરખઉ, જઉ તેહ ન હુઇં, તઉ રાસભની પિર એકલા પોથા જ્ઞાનના ભારઇ જિ નઉ વિભાગીઉ હુઇ, કાજુ કાઈં ન સરઇ, એ એહુ ભણી જાણિવઉં, ક્રિયા સહિત જિ કાજ ગુરૂઉં, ઇસિઉ ભાવ. ૪૨૬. હવઇ વૈષધારી કિમ સમ્યક્ત્વ રહિત હુઇ, એ વાત કહઇ છઇ.
[જેમ ચંદનસુખડનો ભાર ગધેડા પાસે ખેંચાવે ત્યારે તે બાપડો ભારનો જ ભાગીદાર થાય છે, પણ ચંદનની સુગંધ કે એનું લેપન તેમાંનું કાંઈ અનુભવી શકતો નથી. એમ જ્ઞાની ચારિત્રક્રિયાથી રહિત હોઈને જાણવામાત્રનો જ ભાગીદાર થાય છે પણ એના ફળરૂપ મોક્ષનો ભાગીદાર થતો નથી. જો એ સુગતિનો અનુભવ ન થાય તો ગધેડાની જેમ તે એકલા જ્ઞાનનાં પોથાંના ભારનો જ અનુભવ કરે.]
સંપાગડપડિસેવી કાએસ વએસ જો ન ઉજ્જુમઇ,
પતયણપાડણ પરમો સંમત્ત કોમલ તસ. ૪૨૭
સંપા૰ જે પ્રગટ સર્વ લોક સમક્ષ નિઃસૂગ નીલજપણă નિષેધી વસ્તુ અકલ્પનીય, આહારાદિક ગ્રહણાદિક પ્રમાદપદ સેવઇ કરઇ, કાએ પૃથિયાદિક છ જીવની રક્ષાની ખપ ન કરઇ, અનઇ જીવદયાદિક પંચમહાવ્રતનઇ આરાધવð કરી ચારિત્રનઇ વિષઇ ઉદ્યમ ન કરઇ, પવ૰ પ્રવચન વીતરાગનાં શાસન હુઇં, મહત્ત્વTM થકઉ પડિવઉં લાઘવ, હલૂઆઈનઉં કરિવઉં, તેહનઇ વિષઇ તત્પર હુંતઉ જે વર્તાઇ છઇ, તેહÇÖ નિષિદ્ધ વસ્તુના સમાચરિવા થકઉં, અનઇ કરણીય વસ્તુના અકારવા થિઉ સમ્યક્ત્વ પેલવ અસાર જાણિવઉં, ૫૨માર્થવૃત્તિ તેહÇÖ
८८
૧ ખ ૪૨૬મી ગાથા પછી ‘જઉ દર્શન સમ્યક્ત્વ તીણð કરી રહિત હુઇ' પાઠ. ૨ ખ, ગ મુતિ. ૩ ખ ‘એતલઇ જ્ઞાન ઉત્તમ ભણી ચંદનનઉ ભાગીઉ હુઇ’ (પરિમલ સરિખઉ... જિનઉ વિભાગીઉ હુઇ'ને બદલે) ગ બન્ને પાઠ છે. ૪ ખ મહાવ્રત,
શ્રી સોમસુંદરસૂરિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org