SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મણિ-કનકરત્નો આદિથી જેમનું ઘર સમૃદ્ધ છે તે શાલિભદ્ર એમ વિચારે છે કે મારા માથા ઉ૫૨ જો વળી બીજો કોઈ સ્વામી છે તો મારી ઋદ્ધિનું કાંઈ જ નહીં. આમ વિચારી તે વિષયરહિત બન્યા. વળી વિચારવા લાગ્યા કે મારું પુણ્ય ઓછું જેથી હું સેવક કહેવડાઉં, શ્રેણિકનું પુણ્ય અધિક તેથી તે રાજા કહેવડાવાય. આમ વિચારી શાલિભદ્રે દીક્ષા લીધી. તેઓ સુંદર, સુકુમાર, સુખોચિત શરીરવાળા છે. પણ તેમણે અનેક છઠઅક્રમ-માસક્ષમણ આદિ તપ કરી શરીરને એવું કરમાવી નાખ્યું કે સ્વગૃહે આવ્યા છતાં માતા-પત્ની-પુત્રએ એમને ઓળખ્યા નહિ. શાલિભદ્રની જેમ ધન્નાએ પણ દીક્ષા લીધી. બાર વરસે માસક્ષમણને પારણે મહાવીર સાથે રાજગૃહી આવ્યા. ધન્નાના પ્રશ્નના જવાબમાં મહાવીરે કહ્યું કે એમનું પારણું માતાને હાથે થશે. પછી તેઓ સુભદ્રાને ઘેર ગયા. પણ માતાએ ઓળખ્યા નહીં. વળતાં પાછલા ભવની માતાએ શાલિભદ્ર-ધનાને દહીં દીધું. મહાવીરસ્વામીને મુખે એ પૂર્વભવની માતા જાણી વૈરાગ્ય લઈ વૈભારગિરિ પર્વત ઉપર માસ દિવસનું અનશન પાળી બેઉ જણા સર્વાર્થસિદ્ધિ વિમાને પહોંચ્યા.] દુક્કરમુદ્દોસકર્ર, અવંતિસુકુમાલમહિરસીચિરઐ, અપ્પાતિ નામ તહ તઇત્તિ અચ્છેરએય એવૈં. ૮૮ દુક્કર અવંતી સુકુમાલ મહારિષિનઉં ચરિત્ર કર્તવ્ય દુષ્કર અનેરે કરાઇ નહીં, ઉદ્ઘોસકર સાંભલતાં અનેરાઇ રહઇ સર રોમાંચ ઊકાંટઉ કરઇ૧, રૌદ્ર ભણી કિમ, અપ્પાતિ આપણઉં સઇરુ ઇમ ત્યજિઉ અવંતી સુમાલિð, અચ્છેર એય એ આશ્ચર્ય મોટઉં, કથા : ઉજ્જયની નગરીઇં, ભદ્રા સાર્થવાહીનઇ ઘર દાનશાલાં શ્રી આર્ય સુહસ્તિસૂરિ ઊતરિયા, રાતિð નલિનીગુલ્મ વિમાનનઉં અધ્યયન ગુણતા, ભદ્રાનě બેટઇં અવંતી સુકુમાલિ સાંભલિયા, જાતિસ્મરણ ઊપનઉં, પાચ્છિલઇ ભતિ તે નલિનીગુલ્મ વિમાનિ દેવ હૂંતઉં, તે સાંભરિઉં, બત્રીસ કલત્ર મૂકી ગુરુ કન્હલ આવી. દીક્ષા લીધી, કંથેરિના વન માહિ ઈ તત્કાલ પાદપોપગમન અણસણ લીધઉં, અતિ સુકુમાલ ભણી મારિંગ જાતાં કાંટાકાંકરા ડાભસી કરી પગે લોહી નીકલિઉં, તીણð ગંધિઇં ઘણા બાલક સહિત, સિંહિઇ આવી, તેહ મહાત્માનઉં સઇર ખાધઉં, લગારઇ હાલિઉ નહીં, મનિ ખુભિઉ નહીં, મરી નલિનીગુલ્મ વિમાનિ ઊપનઉ દેવ. ૮૮. ૧ ખ કાઢીઇ (“ઊકાંટઉ કરઇ'ને બદલે). ૨ ક ડાઘસી ખ નાલિઇ, ૩ ખ મનિ ખુભિઉ નહીં' નથી. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy