SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નકંબલ લેઈ આવિલ, રત્નકંબલ કોશાઈ આપિઉં, કોશાં અશુચિ ખાલ માહિ ઘાલિઉ, મહાત્માઇ વારી, વેશ્યા વધતઉં એમ કહઈ, તઉં આપણાઉં નથી જોતઉ", અમ્હારાં સદર અશુચિ ખાલ સરીખાં, તેહ માહિ આપણઉં ચારિત્ર રૂપીઉં રત્ન નીંગમઅં છએ, તેહનઈ વચન બૂધઉ, ઘણઉં મનિ ઝૂરઇ, આવી ગુરુને પગિ લાગી, ખમાવઈ, આલોઅણ લિઇ. ૫૯-૬૬૧. ગુરુનઉં વચન અણકરતાં તેહ રહઈ ઇસિ૬ હૂઉં, તે કહઈ છઇ. તિ સાધુ ઉત્તમ છે જે અકર્તવ્ય અને પાપકર્તવ્યમાંથી વિરમ્યા છે અને જે દુષ્કર વ્રત આચરે છે. આ માટે સ્થૂલિભદ્રની કથા પ્રસિદ્ધ છે. સાધુ તપરૂપી પિંજરમાં વસે છે. જેમ સિંહને પાંજરામાં પૂર્યો હોય અને મદની વેળા થાય ત્યારે તે પાંજર ભાંગવાનો ઉદ્યમ કરે છે. તેટલામાં રાજાના સુભટો ચોપાસ ખડ્રગ લઈ ઊભા હોય તેનાથી ડરી જઈ સિંહ પાંજરાની અંદર જ મદરહિત શાંત થઈ જાય છે એ રીતે મહાત્મા સંસારમાં વિષયને લઈને અનેક જીવોને દુઃખ પામતા જોઈ જાતે જ તારૂપી પાંજરામાં પેલા સિંહની જેમ સમાધિએ વસે છે. એટલે જે ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલે છે તેનું સ્વરૂપ સ્થૂલિભદ્રના દિગંતથી કહ્યું. હવે જે ગુરુનું વચન ન માને તેનું સ્વરૂપ કહે છે. કથા : પાટલિપુત્રમાં શ્રી સંભૂતિવિજયના શિષ્ય વર્ષાઋતુમાં ચાતુર્માસનો અભિગ્રહ લે છે. એક સિંહની ગુફામાં, બીજો સાપના દર પાસે, ત્રીજો કુવાને અંતરાલે, ચોથા શ્રી ટ્યૂલિભદ્ર પૂર્વપરિચિત કોશા વેશ્યાને ઘેર રહે છે. ચોમાસું કરી તે ચારે ગુરુ પાસે આવ્યા. ગુરુએ પહેલા ત્રણને દુષ્કર’ કહ્યું. સ્થૂલિભદ્રને બે વાર દુષ્કર' કહ્યું. સિંહગુફવાસી મુનિને ઈર્ષ્યા થતાં બીજે વર્ષે સ્થૂલિભદ્રની પેઠે અભિગ્રહ લીધો. ગુરુએ વાર્યા છતાં તે કોશાની બહેન ઉપકોશાને ઘેર ગયા અને તેનું રૂપ જોઈ સુબ્ધ થયા. વેશ્યાએ દ્રવ્ય માગતાં તેના વચનથી વર્ષાઋતુમાં નેપાળથી રત્નકંબલ લઈ આવી કોશાને આપ્યું. કોશાએ એને ગંધાતી ખાળમાં નાખ્યું. મહાત્માએ એને અટકાવી ત્યારે વેશ્યા કહે તો તમે જાતે શું કર્યું ? અમારાં શરીર અશુદ્ધ ખાળ જેવાં છે. તેના ઉપર તમે તમારું ચારિત્રરત્ન ગુમાવો છો.” આ વચનથી બોધિત થયેલા તે મુનિ મનમાં ખેદ પામી, ગુરુ પાસે આવી ખમાવે છે, ને આલોચના લે છે.] જિત્વયપત્રયભર-સમુqહણવવસિઅસ્સ અઐત, જુવઈ જણસંવઈયરે, જઇત્તર્ણ ઉભય ભટ્ટ. ૬૨ ૧ ખ જાણતઉ. ૨ ગ બૂઝઈ ૩ ખ જુવય ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy