SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કથાઃ ઢંઢણકુમારિ પાછિલઈ ભવિ પાંચસઈ હલ ઊપરિ રાયનઈ અધિકારી છતઈ મધ્યાલ વેલાં ભાતચારિપાણી આવિઆ પૂઠિઇ એકેક ચાસ આપણઈ ક્ષેત્રિ દિવારતઈ પનરસઈ જીવઠ્ઠઇં અંતરાય કીધી. તે કર્મ ઢંઢણકુમારનઈ ભવિ શ્રી નેમિનાથ કહી દીક્ષા લીધી પૂઠિઈ ઉદય આવિવું, નવબાહરી દ્વારિકાનગરી માહિ સૂઝતી ભિક્ષા ન લહઈ, તઉ અભિગ્રહ લીધઉ, પરાયુ આણિક આહાર મઈ ન લેવઉ, આપણી લબ્ધિઇ જઈ સૂઝતઉ આહાર લહઉં તઉ લિઉં, નહીંતરિન લિઉ ઈસિલ અભિગ્રહ પાલતાં ઘણી કાલ ગિલ, એકવાર શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ કન્ડઇ પૂછિઉં, એતલાં માહાત્માં માહિ કઉણ ગાઢઉ દુષ્કરકારક પરમેશ્વરિ કહિઉ, ઢંઢણકમાર, પછઈ કષ્ણ મહારાય ભક્તિ લગઈ નગરીની સેરી માહિ ઢંઢણકુમાર વાંદિઉં, તે દેખી એકઈ શ્રેષ્ટિ. મોટા ભણી મોદક વિહરાવિયા, ઢંઢણકુમારિ શ્રી નેમિનાથ ભગવન પૂછિયા, માહરઉં અંતરાયકર્મ ક્ષય ગિઉં, પરમેશ્વરિ કહિ શ્રી કૃષ્ણની લબ્ધિ, તાહરી લબ્ધિ નહીં, પછ નીમાહ માહિ મોદક પરિઠવતાં કર્મક્ષય હૂઉ, કેવલજ્ઞાન ઊપનઉં. ૩૯. - જિમ એ ઢંઢણકુમાર મહાત્માઇ આહારનઈ વિષઈ પ્રતિબંધ ન હૂઉં, અનઈ કાજ સરિઉં, તિમ સવિહઉ માહાત્મારહઈ આહાદિકના પ્રતિબંધ ઊપરિ અધિકાર નહીં, એ વાત કહઈ છઇ. ઢિંઢણકુમારના પિતા શ્રીકૃષ્ણનું ઘર ધનધાન્યથી સમૃદ્ધ છે. કંજૂસને ઘેર ગમે તેટલી લક્ષ્મી છતાં જો તે આપે કે ભોગવે નહીં તો ઘર ફળેલું ન કહેવાય. અહીં લક્ષ્મી હોવા છતાં નિરંતર તૃષ્ણા ને સુધા છે. કથા : ઢંઢણકુમારે પાછલા ભવમાં ખેતરમાં ચાસ દેતાં પંદરસો જીવને અંતરાય દીધી. આ ભવમાં નેમિનાથ પાસે દીક્ષિત થયા પછી કર્મ ઉદયમાં આવ્યું. દ્વારિકામાં સૂઝતી ભિક્ષા ન મળતાં અભિગ્રહ લીધો. કે પોતાની લબ્ધિથી સૂઝતો આહાર પામું તો લઉં. આ અભિગ્રહ પાળતાં ઘણો સમય ગયો. એક દિવસ કૃષ્ણ ઢંઢણકુમારને વાંદ્યા એ જોઈ એક શ્રેષ્ઠીએ એમને લાડુ વહોરાવ્યા. ઢંઢણકુમારે નેમિનાથને પૂછ્યું કે શું મારું અંતરાયકર્મ નષ્ટ થયું ?” ભગવાને કહ્યું “આ કૃષ્ણની લબ્ધિ; તારી નહીં. તે પછી એ લાડુ પરઠવતાં ઢંઢણકુમારનો કર્મક્ષય થયો.] ૧ખ ઢંઢણકુમારનઈ જીવિ. ૨ ગ “આપણઈ ક્ષેત્રિ નથી. ૩ખ દિવાવતઈ ગ દિવરાવશું તઈ. ૪ ખ નવબારહી ગ નવબારી. ૫ ગ “નહીંતરિ ન લિઉં નથી. ૬ કૃષ્ણમહારાઈ. ૭ ગ ઢંઢણકુમાર’ નથી. ૮ ગ “લબ્ધિ નથી ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy