________________
સોમસાધુગણિ લિખિતં. શ્રીર્ભવતુ. છ. શ્રી. છ.
ગ′ પ્રત
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ. હસ્તપ્રત સૂચિક્રમાંક ૧૬૩૪૬ (ડા. ૩૪૧). પ્રતનાં કુલ પત્ર ૧૧૦ છે.
પ્રતના પાનાની લંબાઈ ૨૬.૦ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૧.૦ સે.મિ. છે. બન્ને બાજુએ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ આકૃતિ કરી કોરી જગા છોડી છે.
હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૬ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું ૪૭થી ૫૦ અક્ષરો છે.
પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો
છે.
પ્રત સ્વચ્છ અને સુવાચ્ય છે. અક્ષરો મધ્યમસરના, મરોડદાર, સુઘડ, સુંદર અને એકધારા સુરેખ લખાયેલા છે.
મુખ્યત્વે ઊભી માત્રાનો પ્રયોગ થયો છે. ક્વચિત જ પડિમાત્રા જોવા મળે છે. ખ માટે રૂ અને ષ બન્નેનો ઉપયોગ થયો છે જેમકે
‘મુહ’ પણ છે અને ‘સરીષ” પણ છે.
‘ને’ અનુગ માટે પ્રતની પૂર્વાર્ધ મોટેભાગે બધે ‘હૂઇં’ પ્રત્યય વપરાયેલો છે. પણ પાછળથી ‘રહઈં’ પ્રત્યય પણ સારા પ્રમાણમાં વપરાયો છે. આ પ્રતની લેખન સંવત ૧૫૪૬ જેઠ વદ રવિવાર છે.
કૃતિનો આરંભ આ પ્રમાણે છે : | ॰ || ૐ નમઃ શ્રી વર્ધમાનાય. અંતે પુષ્પિકા આ પ્રમાણે છે :
ઇતિ શ્રી ઉપદેશમાલા પ્રકરણ બાલાવબોધઃ, સમાપ્તઃ, છ, સંવત ૧૫૪૬ વર્ષે જ્યેષ્ટ દિ વિદિને. શ્રી સોમસુંદરસૂરિ તત્પદે શ્રી જ્યચંદ્રસૂરિ તત્પદે શ્રી લક્ષ્મીસાગરસૂરિ શ્રી સોમયસૂરિ તત્પદ્યે શ્રી સુમતિસાધુસૂરિ શ્રી શ્રી શ્રી ઇંદ્રનંદિસૂરિ. પં૰ તીર્થજયગણિશિષ્ય અભયકીર્તિગણિના લિખિતં સ્વકૃતે પરોપગારાયા. શ્રીરસ્તુ. શ્રી અહમ્મદાવાદનગરે. છ. શ્રી. શ્રી. શ્રી, શ્રી. શ્રી. પાઠસંપાદનપદ્ધતિ
૧. ‘ક' પ્રતને આધારે વાચના તૈયાર કરવામાં આવી છે. ખ’ અને ‘ગ' પ્રતમાંથી પાઠાંતરો નોંધ્યાં છે.
૨. ઘણી જગાએ ‘ખ’ પ્રતનો પાઠ સ્વીકારવાનું બન્યું છે. ત્યાં ‘ક’ પ્રતનો પાઠ
Jain Education International
२८
For Private & Personal Use Only
www.jainelibrary.org