SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ રુપાઈ ઓસવાલ વંશોત્વના આત્મપઠનાર્થે પુસ્તિકા લેખાપિત. છ. છ. છ. શુભં ભવતુ લેખક પાઠક્યોઃ છ.છ.છ. પ્રતમાં ધર્મદાસગણિકૃત ઉપદેશમાલા’ની કુલ ૫૪૪ મૂળગાથાઓ આપવા સાથે એનો બાલાવબોધ રચવામાં આવ્યો છે. બ' પ્રત કોડાય ભંડાર, હસ્તપ્રત સૂચિક્રમાંક ૧૪૭/૧૬૭૦ (ડા.પૂ. પ્ર. ૪૩). પ્રતનાં કુલ પત્ર ૭૯ છે. પ્રતના પાનાની લંબાઈ ૩૫.૫ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૫.૫ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડઆકૃતિ કરી કોરી ગા છોડી છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૭ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું ૫૫થી ૬૦ અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો છે. પ્રત સુવાચ્ય છે. અક્ષરો પ્રમાણમાં મોટા, મરોડદાર છે પણ એકધારા સુરેખ નથી. પડિમાત્રા અને ઊભી માત્રા બન્નેનો ઉપયોગ થયેલો દેખાય છે, પ્રતની લિપિ જૈન જણાય છે. ખ’ માટે રૂ અને રૂ બન્નેનો ઉપયોગ થયો છે. જેમકે પ્રભુત્વ, તુલ પણ છે અને તેષજ્ઞ, રાત્રિય, હવે પણ છે. ને' અનુગ માટે બધે ઇં પ્રત્યય વપરાયેલો છે. જીવહુઇ, ત્રિભુવનહુઇં, ગણધરહુઇં આ પ્રતની લેખન સંવત ૧૫૨૭ આષાઢ વદ ૧ મળે છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે. | પ્॰ | શ્રી સાધુવિજ્ય ગુરૂભ્યો નમઃ ॥ અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : શ્રીમત્તપાગણ નભોગણ ભાસ્કરાભઃ શ્રી સોમસુંદરગુરુઃ પ્રવરૈઃ પ્રણીતઃ આકલ્પમેષજ્જતા ઉપદેશમાલાવબોધ મિઇહભધજનો પક્ષથૈ ॥ ૧ ॥ શ્રી ઉપદેશમાલાવબોધ સંપૂર્ણ. સંવત ૧૫૨૭ વર્ષે આસાઢ વિદ પિડવે લિખિતં મંડપદુર્ગે શુભં ભવતુ. યાદશં પુસ્તકે દૃષ્ટ તાદશં લિખિતં મયા. દિ શુદ્ધમશુદ્ધ વા. મમ દોષો ન દીયતે. શ્રીરસ્તુ. પં. સાધુવિજ્યગણિશિષ્ય Jain Education International २७ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy