SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસમાં વિ.સં.૧૪૫૦થી ૧૫૦૦ સુધીના અર્ધશતકના ગાળાને “સોમસુંદરયુગ’ તરીકે ઓળખવામાં આવે છે. ૫. ઉપદેશમાલા બાલાવબોધ'ની સમીક્ષા આરંભના બાલાવબોધકારો ધર્મદાસગણિનો પ્રાકૃત ભાષામાં રચાયેલો મૂળ ઉપદેશમાલા’ ગ્રંથ એના શીર્ષકમાં નિર્દિષ્ટ છે. એ પ્રમાણે ઉપદેશપ્રધાન, વૈરાગ્યપ્રેરક, ધર્માભિમુખ કરનારો ગ્રંથ છે. ભલે એનું નિમિત્ત બન્યું હોય કર્તાના પુત્ર રણસિંહને પ્રતિબોધિત કરવાનું પણ એ સમગ્ર જૈન સમુદાયને પ્રભાવિત કરનારો ગ્રંથ બન્યો છે. આ ગ્રંથ ઉપર અત્યાર સુધીમાં જે સંસ્કૃત-પ્રાકૃત ટીકાગ્રંથો રચાયા અને પ્રાચીન-મધ્ય. ગુજરાતીમાં જે બાલાવબોધો રચાયા એ જ એની પ્રભાવકતાનો એક પુરાવો છે. ગુજરાતીમાં ‘ઉપદેશમાલા’ ઉપર જે બાલાવબોધો રચાયા તેમાં સૌથી જૂનો બાલાવબોધ તપાગચ્છના આ. શ્રી દેવસુંદરસૂરિના શિષ્ય અને પમા પટ્ટધર કવિશ્રી. સોમસુંદરસૂરિનો ઉપલબ્ધ છે. આ બાલાવબોધ એમણે એમની ઉત્તરાવસ્થામાં ૫૫ વર્ષની પાકટ વયે સંવત ૧૪૮૫માં ૨ચ્યો છે. જોકે કવિશ્રી સોમસુંદરસૂરિ અગાઉ ખરતરગચ્છના આ. શ્રી જિનચન્દ્રસૂરિના શિષ્ય આ. શ્રી તરુણપ્રભસૂરિએ સં. ૧૪૧૧માં પાટણમાં પડાવશ્યક/શ્રાદ્ધ ષડાવશ્યકસૂત્ર / શ્રાવક પ્રતિક્રમણસૂત્ર' પર બાલાવબોધ ૨ચ્યો છે. તે ઉપરાંત એક મેરુતંગસૂરિએ સંસ્કૃત ગ્રંથો પરના ‘વ્યાકરણચતુષ્ક-બાલાવબોધ’ અને ‘તદ્ધિત-બાલાવબોધ' એ બાલાવબોધો રચાયેલા છે. આ મેરતંગસૂરિ કયા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી પણ જો તે અંચલગચ્છના હોય તો અંચલગચ્છના આ. મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય અને સં. ૧૪૦૩/પથી સં. ૧૪૭૧/૭૩ વચ્ચે થયા હોવાનું ઠરે. આમ કવિશ્રી સોમસુંદરસૂરિ પહેલાં ગણ્યાંગાંઠ્યા બાલાવબોધો મળે છે પણ ‘ઉપદેશમાલા’ ગ્રંથ પરનો સૌ પ્રથમ બાલાવબોધ શ્રી સોમસુંદરસૂરિ પાસેથી મળે છે. ઉપદેશમાલા બાલાવબોધ’ સિવાય પણ આ કવિએ અન્ય જે બાલાવબોધો રચ્યા છે એની વાત આપણે કવિપરિચયના લખાણમાં જોઈ ગયા. આમ તરુણપ્રભસૂરિ અને સોમસુંદરસૂરિ આપણા ગુજરાતી સાહિત્યના આરંભના બાલાવબોધ-લેખકો ઠરે છે. બન્નેએ રચેલા બાલાવબોધોમાં મૂળ ધર્મગ્રંથોના અનુવાદને દૃષ્ટાંતકથાઓથી પુષ્ટ કર્યાં છે. શ્રી અનંતરાય રાવળના શબ્દોમાં કહીએ તો એ રીતે ગદ્યમાં લખાયેલી લઘુ બોધવાર્તાઓના પહેલા ગણનાપાત્ર લેખકો તરીકે તેઓ યશભાગી બને છે.’ મધ્યકાળનું ગદ્યસાહિત્ય પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યસાહિત્યની તુલનાએ Jain Education International १८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy