SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગદ્યસાહિત્ય પ્રયોગક્ષેત્ર અને પ્રકારવૈવિધ્યની દૃષ્ટિએ ઘણું સીમિત છે. મધ્યકાળનું જે ગદ્યસાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રકારોની દૃષ્ટિએ બાલાવબોધો, બાલાવબોધ અંતર્ગત દૃષ્ટાંતકથાઓ, ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ જેવી પ્રાસબદ્ધ ગદ્યમાં સમાયેલી દીર્ઘ ગદ્યકથાઓ, મૂળ ગ્રંથની પંક્તિઓના શબ્દશઃ અનુવાદ આપતા ટબો/સ્તબક’ વ્યાકરણની સમજૂતી આપતા ઔક્તિકો અને કેટલાક સંસ્કૃત ગ્રંથના સારાનુવાદોને ગણાવી શકાય. બાલાવબોધ' સ્વરૂપ શ્રી અનંતરાય રાવળ બાલાવબોધના સ્વરૂપની લાક્ષણિકતા સંક્ષેપમાં આ રીતે દર્શાવે છે : બાલાવબોધ એટલે સમજશક્તિ અને જ્ઞાનભંડોળ પરત્વે બાલદશાના ગણાય એવા લોકોના અવબોધ (= જ્ઞાન, સમજણ) અર્થે સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના સાદી ભાષામાં કરેલા સીધા અનુવાદ અથવા તેમના પર લખેલાં ભાષ્યાત્મક વ્યાખ્યાન. એવાં વ્યાખ્યાનમાં કેટલીક વાર દૃષ્ટાંતકથાઓથી મૂળનો અર્થાવબોધ કરાવવામાં આવતો.' ઉપદેશમાલા-બાલાવબોધ'નું વિષયવસ્તુઃ ધર્મોપદેશ આમ તો ‘ઉપદેશમાલા બાલાવબોધ’નું વિષયવસ્તુ તે ‘ઉપદેશમાલા'નું જ વિષયવસ્તુ હોય. કેમકે બાલાવબોધકારે તો મૂળ ગ્રંથની ગાથાઓમાં જે વિષય નિરૂપાયો છે એને જ તત્કાલે બોલાતી ભાષામાં વિશદપણે અનુવાદ/વિવરણ કરીને મૂકવાનો છે. એટલે વિષયવસ્તુ પરત્વે પ્રસ્તુત બાલાવબોધ અને મૂળ ગ્રંથની અભિન્નતા સ્વીકારીને ચાલવાનું છે. સંક્ષેપમાં કહીએ તો આ આખોયે ગ્રંથ જાણે કે સાધુજીવનની આચરસંહિતા જેવો બન્યો છે. સાચો સાધુ કેવો હોય અને એને માટે શું હેયોપાદેય હોઈ શકે એની જ વાત મુખ્યતયા અહીં ઉપસાવવામાં આવી છે. આ નિમિત્તે સાધુઓના વિવિધ પ્રકારો, સાચા સાધુ અને શિથિલાચારી સાધુઓ વચ્ચેનો ભેદ, ગુરુ-શિષ્યના સંબંધો, સુશિષ્યના ગુણો અને દુર્તિનીત શિષ્યના દોષો, ગુરુવચનમાં શિષ્યની શ્રદ્ધા, ગુરુ-આદેશના પાલનમાં શિષ્યની તત્પરતા, સાધુજીવનમાં તપ-સંયમ-નિયમવ્રતની દઢતા, સંવેગી સાધુનાં લક્ષણો, સાધુનાં આહાર-વિહાર, ચારિત્રપાલન માટે સાધુજીવનમાં દસ બોલની જ્વણા – એમ સાધુ જીવનનાં અનેક પાસાંઓનું નિરૂપણ અહીં થયું છે અને એ માટે કવિએ અનેક મહાત્માઓનાં દૃષ્ટાંતો કે દૃષ્ટાંતકથાઓનું નિરૂપણ કર્યું છે. આ સિવાય, હળુકર્મી જીવ અને ભારેકર્મી જીવ, વસ્તુનું અનિત્યપણું, મોક્ષસુખની શ્રેષ્ઠતા, કર્મોનું સ્વરૂપ, રાગદ્વેષથી સર્જાતા અનર્થો, વિવેકી અને નિર્વિવેકી જીવનો તફાવત, સ્વાર્થી સગાંઓ દ્વારા જ આચરાતું અહિત, મોહાસક્ત Jain Education International १९ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy