SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ એમના ગુરુભાઈ શ્રી કુલમંડનસૂરિએ તત્કાલીન ગુજરાતી ભાષામાં મુગ્ધાવબોધ ઔક્તિકની રચના સં. ૧૪૫૦માં કરી એને અનુસરીને શ્રી સોમસુંદરસૂરિએ ગુજરાતીમાં બાલાવબોધો રચ્યા અને સાથે કેટલીક પદ્યકૃતિઓ પણ આપી. એમણે ઉપદેશમાલા', યોગશાસ્ત્ર', “પડાવશ્યક', ‘આરાધના પતાકા', “ષષ્ટિશતક' (શ્રાવક નેમિચંદ્રભંડારીકૃત) – એ મહત્ત્વના ગ્રંથો પર બાલાવબોધો રચ્યા છે. આ ઉપરાંત “ભક્તામરસ્તોત્ર', “વિચારગ્રંથવિચારસંગ્રહ/અનેક વિચારસંગ્રહ, ગૌતમપૃચ્છા' વગેરે કૃતિઓ પર પણ બાલાવબોધ રચ્યા છે. નવતત્ત્વ' પરનો બાલાવબોધ એમણે રચ્યો હોવાનું મનાતું હતું પણ ગુજરાતી સાહિત્યકોશ' ખંડ-૧ દર્શાવે છે એ પ્રમાણે સમયદૃષ્ટિએ વિચારતાં એ બાલાવબોધ શ્રી સોમસુંદરસૂરિશિષ્યનો હોય એમ જણાય છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યના અભ્યાસ માટે આ બાલાવબોધોનું ગદ્ય વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સામગ્રી પૂરી પાડે છે. ખાસ કરીને “ઉપદેશમાલાનો ઉપદેશ અને “યોગશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવવા માટે એમણે કેટલીક દૃર્શતકથાઓ આપી છે. ગુજરાતી ગદ્યમાં પ્રયોજાયેલી આ દચંતકથાઓનું ગદ્ય સાદું, સરળ અને તત્કાલીન બોલચાલની સાહજિક લઢણવાળું છે. આરાધના રાસ' એ એમની સંભવતઃ પ્રાકૃતમાં રચાયેલી પદ્યાત્મક કૃતિ છે. આ રાસ એમણે સં. ૧૪૫૦માં રચ્યો. આ રાસમાં મરણોન્મુખ જીવને અંતકાળ સુધારી લેવાના, દુષ્કતની ગહના, સુકૃતની અનુમોદનાના, જીવમાત્ર પ્રતિ મૈત્રીભાવ કેળવવાના પ્રાણીમાત્રની ક્ષમાયાચનાના, સદ્ગુરુ-સવ-સદ્ધર્મનું શરણું લેવાના વગેરે ૧૦ અધિકારોનું વર્ણન છે. ૩૩ કડીનું ‘અર્બુદાચલ સ્તવન', ૨૫ કડીનું ગિરનાર સ્તવન', ૯ કડીનું નવખંડન સ્તવન' એ એમની પદ્યરચનાઓ છે. શ્રી સોમસુંદરસૂરિનો શિષ્ય પરિવાર ઘણો બહોળો હતો. આ શિષ્યો પૈકીમાંથી અનેકને એમણે આચાર્યપદવી આપી છે. એમના સમુદાયમાં મુનિસુંદરસૂરિ, જયસુંદરસૂરિ, ભુવનસુંદરસૂરિ, જિનસુંદરસૂરિ જેવા વિદ્વાન સાધુઓ હતા. ઉપરાંત જિનમંડન, જિનકીર્તિ, સોમદેવ, સોમજય, વિશાળરાજ, ઉદયનંદી, શુભરત્ન વગેરે શિષ્યો-પ્રશિષ્યો હતા. શ્રી સોમસુંદરસૂરિ સં.૧૪૯૯માં સ્વર્ગવાસી થયા. કોઈ એમના સ્વર્ગવાસનું વર્ષ સં.૧૫૦૧ કે ૧૫૦૩ પણ જણાવે છે. પ્રકાંડ પંડિત એવા આ આચાર્યે વિક્રમના ૧૫મા શતકના ગુજરાતી ગદ્યને ઘાટ આપવાનું તેમજ જ્ઞાનોદ્ધારનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેથી જ જૈન સાહિત્યના १७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy