SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમા વર્ષે સં. ૧૪૫૦માં એમને વાચકપદ – ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને સં. ૧૪૫૭માં ૨૭ વર્ષની યુવાન વયમાં પાટણમાં એમને આચાર્યપદ - સૂરિપદ આપવામાં આવ્યું. આ આચાર્યપદવીનો મહોત્સવ તપાગચ્છના ૪૯મા પટ્ટધર આ. શ્રી દેવસુંદરસૂરિની નિશ્રામાં યોજવામાં આવ્યો. પ્રતિષ્ઠાનોમ નામના શિષ્ય સંસ્કૃતમાં કરેલી “સોમ-સૌભાગ્ય' કાવ્યરચનામાં આ આચાર્યપદ-પ્રદાન મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. - શ્રી સોમસુંદરસૂરિ પાછળથી ગચ્છાધિપતિ અને તપાગચ્છના ૫૦મા પટ્ટધર થયા. તેઓ સાધુઓના શુદ્ધાચારના આગ્રહી હોઈ, સાધુઓમાં પ્રવેશેલી આચારશિથિલતા દૂર કરવા તરફ લક્ષ આપ્યું. એમની નિશ્રામાં અનેક તીર્થયાત્રા યોજાઈ. શત્રુંજય, ગિરનાર, સોપારક વગેરે ધાર્મિક સ્થાનોની અનેક યાત્રાઓમાં એમની ઉપસ્થિતિ હતી. એ જ રીતે ગુજરાતનાં ઘણાં ચૈત્યોનાં જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા પણ એમની નિશ્રામાં થઈ હતી. જેમકે સં. ૧૪૭૯માં તારંગાના અજિતનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા તેમજ શેઠ ધરણાશાએ બંધાવેલ, રાણકપુરના સુવિખ્યાત જિનાલયની પ્રતિષ્ઠા શ્રી સોમસુંદરસૂરિની નિશ્રામાં થઈ હતી. એમણે કરેલી બિંબ-પ્રતિષ્ઠાના સં. ૧૪૭૧થી ૧૪૯૮ સુધીના ઘણા લેખો મળી આવ્યા છે. જૈન જ્ઞાનભંડારોના તાડપત્રો પર લખાયેલા ગ્રંથોની કાગળ પર નકલ કરી લેવાનું ભગીરથ કામ આ.શ્રી સોમસુંદરસૂરિના સમયમાં શરૂ થયું. આ. શ્રી દેવસુંદરસૂરિ અને આ.શ્રી સોમસુંદરસૂરિએ ગુરુશિષ્યની જોડીએ પોતાના અનેક શિષ્યોની સહાયથી આ કામ પાર પાડ્યું. અને એ રીતે મોટી સંખ્યામાં હસ્તપ્રતો કાગળ પર તૈયાર કરવામાં આવી. ખંભાતના મોઢ જ્ઞાતિના પર્વત શેઠે ૪૫ આગમો. પૈકીનાં ૧૧ અંગો ભારે ખર્ચ કરીને શ્રી સોમસુંદરસૂરિ દ્વારા લખાવડાવ્યાં. આ રીતે ગુજરાતના જ્ઞાનભંડારોના સમુદ્ધારનું જે મોટું કામ થયું એમાં આ. સોમસુંદરસૂરિ અને એમના શિષ્યમંડળનું યોગદાન મહત્ત્વનું છે. કહેવાય છે કે આ સોમસુંદરસૂરિના પ્રભાવથી જ, માંડવગઢના સંગ્રામ સોની નામના ધનાઢ્ય ભગવતીસૂત્રના વાચન વખતે જ્યાં જ્યાં ગોયમા” (ગૌતમ) શબ્દ આવે ત્યાં ત્યાં એક એક સોનામહોર મૂકતા જઈ આવી ૩૬000 સોનામહોરો વાપરી હતી. ઉપરાંત એમાં અન્ય દ્રવ્ય ઉમેરી કાલિકાચાર્યની કથાની સચિત્ર પ્રતિઓ સુવર્ણ અને રૂપેરી અક્ષરોમાં તૈયાર કરાવી હતી. શ્રી સોમસુંદરસૂરિ તપાગચ્છના ગચ્છાધિપતિ હોવા સાથે પ્રકાંડ પંડિત પણ હતા. એમણે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં રચનાઓ કરી છે. સંસ્કૃતમાં એમણે “ભાષ્યત્રયચૂર્ણિ’, ‘કલ્યાણકસ્તવ', “રત્નકોશ', “નવસ્તવમાં આદિ રચનાઓ કરી છે. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy