SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાઓ છે. ખંભાત ભંડારની તાડપત્રપરની પ્રતમાં ૫૩૯ ગાથાઓ છે. પણ બાકીની હસ્તપ્રતોમાં ૫૪૪ ગાથાઓ છે. સામાન્ય અનુમાન એવું છે કે વિષયવસ્તુ સાથે સંબંધ ધરાવતી ગાથાઓ મૂળમાં ૫૪૦ હશે. ૩. ‘ઉપદેશમાલા’ ગ્રંથ ૫૨ના ગુજરાતી બાલાવબોધો / સ્ત્રબકો જૈન ગૂર્જર કવિઓ' ભા.૭ (બીજી આવૃત્તિ)માંની કૃતિ-વર્ણાનુક્રમણીમાં ઉપદેશમાલા’ ગ્રંથ ૫૨ રચાયેલા/લખાયેલા જે બાલાવબોધો/સ્તબકો દર્શાવાયા છે તે આ પ્રમાણે છે : ૧. તપાગચ્છના આચાર્યશ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ’ (૨.સં. ૧૪૮૫) (અપ્રગટ) ૨. કોરંટગચ્છના શ્રી નન્નસૂરિચિત ‘ઉપદેશમાલા બાલાવબોધ' (૨.સં. ૧૫૪૩, ખંભાતમાં) પ્રકાશિત) [A study of the Gujarati Language in the 16th Century (V. S.) by Dr. T. N. Dave, પ્રકા. રોયલ એસિએટિક સોસાયટી, લંડન, ૧૯૩૫.] ૩. કવિ વૃદ્ધિવિજયકૃત ઉપદેશમાલા બાલાવબોધ' (૨.સં. ૧૭૩૩) (અપ્રગટ) ૪. કવિ રામવિજયકૃત ‘ઉપદેશમાલા ટીકા’ (૨.સં.૧૭૮૧)નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત) આ સિવાય જૈ. ગૂ, કવિઓ' ભાગ-૨થી ૬ (બીજી આવૃત્તિ)માં અજ્ઞાત કવિકૃત ઉપદેશમાલા બાલાવબોધ/સ્તબક/ટબો'ની જુદા જુદા સમયે લખાયેલી હસ્તપ્રતોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. (લે.સં. ૧૫૪૬, ૧૬૭૩, ૧૬૮૩, ૧૬૯૪, ૧૬૯૯, ૧૭૩૨, ૧૭૬૫, ૧૭૭૧, ૧૭૮૭, ૧૭૯૧ તથા બે લેખનસંવત વિનાની.) પણ આ અજ્ઞાત કવિને નામે દર્શાવાયેલ ઉપ૰ બાલાવબોધોમાંથી કોઈ કોઈ તો કવિશ્રી સોમસુંદરસૂરિકૃત ઉપ૰ બાલાવબોધ” જ હોવાનું જણાયું છે. આ બધી અપ્રગટ રચનાઓ હોવાથી એમાંની કેટલી અલગ અલગ કવિની કૃતિઓ હશે એ હસ્તપ્રતો જોયા વિના સ્પષ્ટ થાય એમ નથી. ૪. કવિ શ્રી સોમસુંદરસૂરિ શ્રી સોમસુંદરસૂરિનો જન્મ વિ.સં. ૧૪૩૦, મહા વદ ૧૪, શુક્રવારના રોજ પાલનપુરમાં થયો. તેઓ પ્રાપ્વાટ (પોરવાડ) જ્ઞાતિના હતા. પિતાનું નામ સજ્જન અને માતાનું નામ માલ્હણદેવી. કવિનું સંસારી નામ સોમ હતું. માતાપિતાની સંમતિથી તેમને સાત વર્ષની ઉંમરે સં. ૧૪૩૭માં દીક્ષા આપવામાં આવી. તેમના દીક્ષાગુરુ શ્રી જયાનંદસૂરિ હતા. દીક્ષિત થયા પછી તેઓ સતત અભ્યાસરત રહેવા લાગ્યા. પરિણામે એમણે પ્રમાણમાં નાની વયમાં જ અસાધારણ વિદ્વત્તા પ્રાપ્ત કરી. Jain Education International 9 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy