SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મારિઉં, તણઈ કાલસંદીપક વિદ્યાધર, નાસતઉ તેહનઉ વિકુર્વિઇ, માયારૂપ ત્રિપુર બાલી લવણિસમુદ્ર પાતાલકલશિ પઈસતઉ મારિઉં, સત્યકિ શ્રી મહાવીર કન્હઈ સમ્યક્ત્વ પામિર્ક, ગાઢઉ દેવગુરુભક્ત હુઉ, પણ તઊ વિષયની વાહિલ રાયની લોકની રૂપવંત સ્ત્રી ભોગવઈ, બલિઆ ભણી, એક વાર ચંડપ્રદ્યોતિ સભા માહિ કહિઉં, કો એકઠ્ઠઈ મારિસિઈ, ઉમા નામિઠ નગરનાયક મારિવઉ પડિવજિઉં, ઇસિઈ સત્યકિ રૂપચાતુર્યની વાહિઉ, ઉમાનાં ઘરિ વસઇ, ત ઉમાશું પૂછિઉં, એ વિદ્યા તુમ્હ તઉ કેતીય વારઈં અલગ થાઇ, તીણૐ વીસસિઇ હુતઈં કહિઉં, કામસેવાની વેલાં અલગી થાઈ, તે વાત ઉમા ચંડપ્રદ્યોતનઈ જાણાવી, તેહના ઉદર ઊપરિ કમલપત્ર છેદી દેખાડિઉં, તૂહૂઈ રાખિસિઉ તેહઈ જિ હંઈ મારિસિલું ઇસિલ વસાસ ઉપજાવિલ, ઉમા રાયહૂઇ વિષય સેવવાની વેલા જણાવી, રાજા આપણા સન્નદ્ધબદ્ધ પ્રચ્છન્ન આગઇ, પુરુષ રાખિયા છઇં, તેહે ઉમા સત્યર્કિ બેન રાયનઈ આદેસિ વિણાસિયાં, સત્યકિ ઇ શિષ્ય નંદીશ્વર વિદ્યાધર રીસાવિઇ નગર ઊપરિ શિલા વિકુર્તીનઈ લોક પાહઈ તેહ બિહૂની તીણઈ જિ અવસ્થા, સ્થાનકિ સ્થાનકિ મૂર્તિ કરાવી નઈ પૂજાવી, લોકે બીહતે તિમ કીધઉં, સત્યકિ મરી નરિગિ ગિઉ. ૧૬૪. અવિરતઈ થિકઉ જે સુસાધુભક્તિ કરઈ તેહનઈ ગુણ કહઈ છઈ. સિમ્યગુ દષ્ટિવાળા, જેણે આગમસિદ્ધાંતો જાણ્યા છે એવાઓ પણ વિષયરાગનું જે સુખ તેને વશ થઈને ખેંચાય અને ગહન સંસારસંકટમાં પ્રવેશે તો બીજાઓનું તો શું કહેવું? હે શિષ્ય, આ વિષયમાં તને સત્યકિ વિદ્યાધર જે ઈશ્વર નામે પ્રસિદ્ધ છે તેનું જાણીતું દૃગંત જણાવું. કથા : ચેડા મહારાજાની પુત્રી સયેષ્ઠાએ દીક્ષા લીધી. તે આતાપના લે છે તેવામાં પેઢાલ વિદ્યાધરે અંધકાર ઉત્પન્ન કરીને ભ્રમરના રૂપથી તેની યોનિમાં વીર્ય મૂક્યું. પુત્ર જન્મ્યો. તેને સત્યકિ નામ આપ્યું. તેણે ઘણા સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો. સત્યકિ રોહિણી વિદ્યા સાધવા લાગ્યો. બાપ પેઢાલને માર્યા પછી સત્યકિ શ્રી મહાવીર પાસે સમ્યક્ત પામી ગાઢ દેવ-ગુરુભક્ત થયો. પણ વિષયમાં તણાયેલો તે રાજયની અને લોકની રૂપવંત સ્ત્રીઓને ભોગવતો. એક વાર ચંપ્રદ્યોતે સભામાં પૂછયું કે “સત્યકિને કોણ મારશે ?' ત્યારે ઉમા નામની વેશ્યાએ એને મારવાનું સ્વીકાર્યું સત્યકિ રૂપચાતુર્યથી ખેંચાઈને ઉમાને ઘેર રહે છે. ઉમાએ પૂછ્યું કે તે સિદ્ધ કરેલી વિદ્યા તારાથી ક્યારે અલગ થાય ?' ત્યારે ૧ ખ “મારિસિઈ પછી પડહઉ વજાવિઉ. ૨ ક નગ નયકાં. ૩ ગ “તૂઈ... ઇસિઉ નથી. ૪ ખ બેઊ ગ બે’ નથી. ૧૦૦ શ્રી સોમસુંદરસૂક્િત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy