SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ કથાઃ શ્રી આર્ય મહાગિરિસૂરિ જિનકલ્પિ વિજિનિંઈ ગિઈ હુંતઈ વિશેષ વૈરાગ્ય લગઇ. શ્રી આર્ય સુહસ્તિસૂરિઇ ગચ્છ સમોપી નિઃસંગ શિકાર જિનકલ્પની તુલના કરશું છઇ. અનઈ જે ગામ માહિ ગચ્છ રહઈ તે ગામ બહરિ રહJઇ. ઇમ 30ગચ્છની નિશ્રા રહઈ. એક વાર પાડલીપુરિ આવિયા. ક્ષેત્ર છહે ભાગ કરી પાંચપાંચ દિન એકઈ ભાગિ વિહરવા જાઈ. છાંડી તી ભિક્ષા લિઇં. એક વાર શ્રી આર્ય સુહસ્તિસૂરિ અભિનવ શ્રાવક વસુભૂતિ શ્રેષ્ટિનઈ ઘરિ તેહનાં કુટુંબ બુઝવવા પૂહતા છે. ધર્મકથા કહઈ છઇ. ઇસિઈ શ્રી આર્ય મહાગિરિસૂરિ ભિક્ષાવૃત્તિઈં તીણઈ ઘરિ પુહતા. શ્રી આર્ય સુહસ્તિસૂરિ તેહહૂઇ ઘાઇસિલું અદ્ભુત્થાન કીધઉં. શ્રી આર્યમહાગિરિ પાછા વલિયા. વસુભૂતિ શ્રેષ્ઠિઈ પૂછિઉં, ભગવનું, એ કુણ મહાત્મા? શ્રી આર્યસૂરિ સુહસ્તિ કહિઉં, એ અમ્હારા ગુરુ ગુરુઆ. જિનકલ્પની તુલના કરઈ . બીજઈ દહાડઈ ભક્તિ લગઈ ઘરિ ઉઝત ભાત પાણી કરાવિ8શ્રી આર્ય મહાગિરિસૂરિ દીઠઉં. તેણે ગુરુ ન લીધઉં. અનઈ શ્રી સુહસ્તિસૂરિહૂઇ આવી કહિઉં, તુમ્હ વિરૂઉં કીધઉં. અમ્હારી ભિક્ષા અસૂઝતી કીધી. કાલિ જે અભ્યસ્થાન કીધઉં તણઈ કરી આજ પૂઠિઇ આપણાઈ એકિઈ ક્ષત્રિ ન રહિવઉં. ઇમ કહી ગુરે અનેર) ક્ષેત્રિ વિહાર કીધઉ. ગચ્છ)ની નિમાં મૂકી અનિશ્ચિત તપ કીધલ. ઈમ અને કરિવઉં. ૧૫ર. તથા પોતાનાં દેશ-ગામ-સગાં અને જનસામાન્ય લોક એમાં મુનિ કોઈનું આલંબન ન લે. મહાત્મા સદાય અનિશ્ચિતપણે વિહરે; જેમ શ્રી આર્ય મહાગિરિસૂરિ વિહ. કથા : શ્રી આર્ય મહગિરિસૂરિ શ્રી આર્યસુહસ્તિગિરિને ગચ્છ સોંપી, નિઃસંગ રહી, જે ગામમાં ગચ્છ રહે તે ગામની બહાર રહે છે. એક વાર પાટલિપુત્રમાં આવ્યા. ક્ષેત્રના છ ભાગ કરી પાંચ પાંચ દિવસ એકેક ભાગમાં વહોરવા જાય. એક વાર શ્રી આર્ય સુહસ્તિગિરિ શ્રાવક વસુભૂતિ શ્રેષ્ઠીને ઘેર તેમના કુટુંબીને બોધ આપવા પહોંચ્યા છે. ધર્મકથા કહે છે. એટલામાં શ્રી આર્યમહાગિરિ તેને ત્યાં જ ભિક્ષાવૃત્તિ કાજે પહોંચ્યા. આર્ય સુહસ્તિગિરિ ઉતાવળે સામે આવીને ઊભા રહ્યા. આર્ય મહાગિરિ પાછા વળ્યા. શ્રેષ્ઠીએ પૂછયું, તે કોણ હતા ?' આર્ય સુહસ્તિગિરિએ કહ્યું એ અમારા ગુરુ હતા.” બીજે દિવસે ઘરે લૂખો આહારપાણી કરાવ્યાં. આર્ય મહાગિરિએ આ જોયું ગુરુએ તે ન લીધું અને સુહસ્તિગિરિને આવીને કહ્યું કે તમે ખોટું કર્યું. અમારી ભિક્ષા અશુદ્ધ કરી. ૧ ગ નિસંગપણઇં. ૨ ખ શ્રી સર્વજ્ઞપુત્ર. ૩ ક સભૂમિ છે. . ૪ ક જિનગુરુકલ્પની. શ્રી સોમસુંદરસૂરિકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy