SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મોદક વિહરાવિયા, તે દત્તવૃંઈ દીધા, થાકઉ ભણી દત્ત ઉપાશ્રય મોકલિઉ, ગુરે આપણાઈ અરસપરસ વિહરી વાર કીધી, પેલી કુશિષ્ય દત્ત મને માહિ ચીંતવાઈ મૂહુઇ મોકલી, અનઈ એ ગુરુ સારઉં વિહરિસિઇ, સાંઝનઈ પડિક્કમણઈ ગુરુ કહિઉં, તઈ ધાત્રી પિંડ ભોગવિલે, તે આલોયઈ, મનમાહિ ચીંતવઈ એ ગુરુ માહરા સક્ષ્મ ઈ દોષ દેખઈ, આપણા નિત્યવાસાદિક મોટાઈ દોષ દેખત નથી ઇસિઉ ચીંતવતઉ પડિક્કમી આપણાં ઉપાશ્રયિ ગિઉ, ગુરુભક્તિ દેવતાં મહા અંધકાર પ્રબલ વાયુવર્ષા વિકુર્વિલ, પેલઉ બીહત ગુરુ કન્ડઈ આવઈ, અંધાર દેખઈ નહીં, ગુરુ લબ્ધિ કરી આંગુલી દીવાની પરિ ઝલહતી દેખાડી દયા લગઈ તે કુશિષ્ય ચીતવઈ, ગુરુનઈ દીવઉ છઈ, પછઈ દેવતાં પ્રકટ થઈ કહિઉં, રે પાપીય કુશિષ્ય ઇસિયા ચારિત્રિયા ગુરુ પરાભવતી દુર્ગતિઈ જાઈસિ, દેવતાનાં વચન બીહતી ગુરુ ખમાવિયા, પ્રાયશ્ચિત્ત પડિવજિઉં. ૯૯. સુશિષ્યની ગુરુભક્તિ કહઈ છઇ. ઘડપણમાં વિહાર અશક્ય બનતાં એક જ ક્ષેત્રે રહેવું તે વૃદ્ધાવાસ કહેવાય. આવા ગુરુનો અથવા માંદા ગુરુ પ્રત્યે જે કુશિષ્ય અનાદર કરે તેમજ અનિયત વિહાર કરતા ગુરુનો પરાભવ કરે તે મહાદોષ છે. કથા : કુલ્લઈરિપુનગરીમાં શ્રી સંગમસૂરિ દુષ્કાળને કારણે ગચ્છને અન્ય દેશમાં વિહાર કરાવી પોતે એ જ સ્થાને રહ્યા. કેટલેક સમયે દત્ત નામે શિષ્ય ગુરુની સિદ્ધિ જોવા આવ્યો. નજીકના ઉપાશ્રયમાં રહ્યો. ગુરુની સાથે વહોરવા ગયો. ઘણી જગાએ ફરવા છતાં વિશેષ કાંઈ મળ્યું નહીં. પછી તેને ખિજાયેલો જોઈ ગર એક મોય ઘેર ગયા. ત્યાં રડતા બાળકને ચપટી વગાડી છાનું રાખતાં હર્ષિત માતાપિતાએ લાડુ વહોરાવ્યા. થાકેલા દત્તને તે લાડુ આપી ઉપાશ્રય મોકલ્યો. ગુરુએ આજુબાજુમાં વહોરવામાં વાર કરતાં કુશિષ્ય દત્ત વિચારવા લાગ્યો કે “મને પાછો મોકલી દઈને ગુરુ સારું વહોરશે.” સાંજના પ્રતિક્રમણમાં ગુરુએ કહ્યું તેં ધાત્રીપિંડ ભોગવ્યો.” દત્તને થયું કે “આ ગુરુ મારા સૂક્ષ્મ દોષ જુએ છે પણ પોતાનો નિત્યવાસનો મોટો દોષ જોતા નથી.” પછી પોતાના ઉપાશ્રય ગયો. એટલામાં મહાઅંધકાર અને પ્રબળ વાયુવર્ષા થવા લાગ્યાં. ભયભીત બનેલો શિષ્ય ગુરુ પાસે આવ્યો. લબ્ધિથી ગુરુએ એમની આંગળી દીવાની જેમ ઝળહળતી બતાવી. દેવતાએ પ્રગટ થઈને કહ્યું કે “રે પાપી, આવા ચારિત્રશીલ ૧ ખ “વિહરાવ્યા. ૨ ખ “તે’ પછી ‘દત્ત હુઇ...કુશિષ્ય દત્ત પાઠ નથી. ૩ ગ “દત્ત' નથી. ૪ ખ સારવું રૂડઉં. પ ક અલોઈ ગ આલોઈ. ૬ ગ “વર્ષા' નથી ૭ ખ હવઈ સુશિષ્યની ૮ ગ ગુરુ નથી. ૫૮ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy