________________ ર૧. વૃદ્ધો કોણ ? Elafcitu-sticit શિષ્ય: “ગુરુદેવ, વૃદ્ધ કોને કહેવાય?' ગુરુ : “વત્સ, જેઓ ધર્મતત્ત્વને જાણે છે તેઓ ખરેખર વૃદ્ધ છે.” મહાનુભાવો, ગઈકાલે આપણે જે વૃદ્ધોપસેવાથી બુદ્ધિ મેળવવાની વાત કરી તે વાતને આજે વધુ વિશદ કરું છું. “વૃદ્ધ ની વ્યાખ્યા જ્ઞાની પુરુષો “ધર્મતત્ત્વજ્ઞ' કરે છે. જેઓ ધર્મતત્ત્વને જાણે છે તેઓ જ ખરેખર વૃદ્ધ છે, જ્ઞાનવૃદ્ધ છે. એ ધર્મતત્ત્વમાં મૂળભૂત તત્ત્વ છે આત્મા ! એ મહાપુરુષો લોકોને આત્મતત્ત્વની ઓળખાણ કરાવે છે. આ શરીર આત્મા નથી, શરીરમાં જે રહેલો છે તે આત્મા છે. એક પ્રસંગ કહીને આ વાત સમજાવું. એક ગામમાં અમારા વ્યાખ્યાનનો વિષય હતો “જાતને ઓળખો'. આચારાંગ-ઉત્તરાધ્યયન- જ્ઞાનસાર આદિ ગ્રંથોના આધારે પોતાની ભીતર રહેલા પરમતત્ત્વ સાથે પરિચય સાધવાનું જણાવ્યું. વ્યાખ્યાન પૂરું થયું. પછી એક મૂર્ખ જેવો માણસ બેસી રહ્યો હતો. મેં પૂછ્યું : ‘તું હજુ કેમ બેઠો છે ? બધા લોકો તો ગયા. વ્યાખ્યાન પૂરું થઈ ગયું છે. તારે કંઈ પૂછવું છે ?" હા મહારાજ સાહેબ, મને કંઈ સમજાયું નથી. જાતને તો આપણે ઓળખીએ છીએ. મારું નામ છગન. મારા બાપનું નામ મગન. ધંધો કાપડનો. આ મારી ઓળખાણ થઈને બીજી ઓળખ વળી કેવી રીતે થાય ? મેં કહ્યું : “બીજી ઓળખ એ જ સાચી ઓળખ છે, જા સાંભળ. અકવાર એક ભરવાડને એક ગુફામાંથી તાજું જન્મેલું સિંહનું બચ્ચું જડ્યું. વૃદ્ધા કોણ ? જ ઘર્મતત્ત્વને જાણે છે 0 81