________________ - , દસ કરોડ પુસ્તકો આજે દુનિયાના બજારમાં છે સાઠ વર્ષે દસ કરોડ પુસ્તકોનો ધંધો ઉત્તમ ગણાય ! સસ્તો જરા પણ નહીં ! હા, જ્ઞાનવૃદ્ધ-સમજવૃદ્ધ પુરુષ હોય કે સ્ત્રી પણ હોઈ શકે. યુવાન હોઈ શકે ને ક્યારેક બાળક પણ હોઈ શકે ! જેની પાસે બુદ્ધિનો ભંડાર હોય તે “બુદ્ધિ-વૃદ્ધ' કહેવાય. એની સેવા કરવાથી તમને એની બુદ્ધિનો લાભ મળી શકે. માણસ વકીલો પાસે શા માટે જાય છે ? વકીલો એટલે બુદ્ધિવૃદ્ધો ! જ્ઞાનવૃદ્ધો ! એમને કાયદાઓનું જ્ઞાન અને એના આટાપાટાનું જ્ઞાન હોય છે. તેઓ પોતાના અસીલને બુદ્ધિબળથી આપત્તિમુક્ત કરતા હોય છે. તેમની સેવા કરવી એટલે એમની ફી ભરી દેવી ! 80 - સંવાદ