________________ છે. એના મલા શરીરને ધુએ છે, અને ખવડાવે છે, એને વસ્ત્ર પહેરાવે છે, પોતાની છાતીએ રે વળગાડી એને સુવડાવે છે. એનું પાલન-પોષણ કરે છે છે. માતાનો આ કેવો મહાન ઉપકાર છે સંતાન ઉપર ! તમારે આ ઉપકારને ક્યારેય ન ભૂલવો જોઈએ. એટલું જ નહીં, તમે સવારે ઊઠીને શ્રી નવકારમંત્રનું સ્મરણ કર્યા પછી જો ઘરમાં માતા હોય તો એનાં ચરણોમાં પ્રણામ કરો. રોજ પ્રભાત તમારા માથે માતા-દેવીનો હાથ પડે તો તમારો દિવસ ધન્ય બની જાય ! આ અનુભવ કરવાની વાત છે. એક વાર, બે વાર, ત્રણ વાર તમે પ્રયોગ કરી જુઓ. માતાના આશીર્વાદ લઈને દુષ્કર કાર્ય કરવા બહાર જાઓ. તમારું દુષ્કર કાર્ય સરળતાથી સિદ્ધ થઈ જશે. પ્રસન્ન થયેલી માતા-દેવીના આશીર્વાદમાં ચમત્કાર રહેલો હોય છે ! હા, દેવીને પ્રસન્ન તો કરવી જ પડે ! એટલે જે દેવી જે ફળ-નૈવેદ્ય-અનુષ્ઠાનથી પ્રસન્ન થતી હોય તે ફળનૈવેદ્ય એને ધરવું જોઈએ ! એવું જ અનુષ્ઠાન કરવું જોઈએ. એની સ્તુતિપ્રાર્થના પણ કરવી પડે ! દેવી છે ને ? દેવીની સ્તુતિ કરવી જ પડે ! नास्ति मातृसमा छाया, नास्ति मातृसमा गतिः / नास्ति मातृसमं त्राणं, नास्ति मातृसमा प्रियाः / / “માતા જેવી બીજી કોઈ છાયા નથી, માતા જેવો બીજો કોઈ સહારો નથી. માતા જેવો બીજો કોઈ રક્ષક નથી અને માતા સમાન બીજી કોઈ પ્રિય વ્યક્તિ નથી. એટલે જ્યાં સુધી માતા જીવિત હોય ત્યાં સુધી મનુષ્ય સનાથે કહેવાય છે. એના મૃત્યુ પછી મનુષ્ય અનાથ થઈ જાય છે. જ્ઞાની પુરુષો તો કહે છે : માતાનાં ચરણકમળ જ તીર્થ છે. એના દેહને સંતાપ ન આપવો તે તપ છે અને એની સેવા એ જ સ્નાન છે. ‘માનીવિતાન્ત, તીર્થમવોત્તમાનામ્ !' ‘ઉત્તમ પુરુષો માતાને આજીવન તીર્થસમાન માને છે.” જે તારે તેને તીર્થ કહેવાય. માતૃભક્તિ જીવને તારે છે. દુઃખોના 36 0 સંવાદ