________________ સાગરમાંથી તારે છે. એવાં અનેક દૃષ્ટાંતો જાણવા મળે છે. “પુત્ર કુપુત્ર બને, પણ માતા ક્યારેય કુમાતા નથી N/ બનતી' આવું શ્રી શંકરાચાર્ય લખી ગયા છે, પણ આજે આ એવી કુમાતાઓ પણ હજારો-લાખોની સંખ્યામાં છે કે જે ભૂણહત્યા - ગર્ભપાત કરે છે. આ ભયંકર ક્રૂરતા છે. સામ્ય દેવી કુર દેવી બની જાય તો તે આરાધ્ય નથી રહેતી. માતાઆએ પણ પોતાના સ્વભાવને દૈવી બનાવવો જોઈશે. એટલે કે જેવી રીતે દેવીઓ થોડા ફળ-નૈવેદ્યમાં તૃપ્ત થાય છે, તેવી રીતે માતાએ પણ સંતાનો પાસેથી વધુ અપેક્ષાઓ નથી રાખવાની. થોડી જ આવશ્યકતાઓથી જીવવાનું છે. અને સદૈવ મુખ પર પ્રસન્નતા રાખવાની છે. પ્રસન્ન મુખમુદ્રાવાળી દેવીની આરાધના ઘણી સારી થાય, ઘણા લોકો કરે ! પ્રત્યક્ષ દેવી કોણ ? માતા 0 77