________________ 1. પ્રરાક્ષ દેવો કોણ ? માતા છે શિષ્ય : “ગુરુદેવ, પ્રત્યક્ષ દેવી કોણ છે ?' ગુરુઃ “વત્સ, માતા પ્રત્યક્ષ દેવી છે.' હજારો વર્ષથી આ એક માનવસ્વભાવ રહેલો છે કે જ્યારે એને પોતાના પ્રયત્નોમાં - પુરુષાર્થમાં સફળતા નથી મળતી ત્યારે તે દેવી શક્તિ તરફ વળે છે. મોટાભાગના માણસોની આ શ્રદ્ધા હોય છે કે દેવી શક્તિથી કાર્યસિદ્ધિ થાય છે. એટલે ભાગ્યે જ કોઈ ગામ એવું હશે કે જ્યાં કોઈ દેવ-દેવી યક્ષનું નાનું-મોટું મંદિર ન હોય ! હોય જ છે નાનું-મોટું મંદિર. છેવટે કોઈ પાળિયો કે મજાર પણ હશે ! સાધુ-સંતો પણ આવી શ્રદ્ધાને પુષ્ટ કરતા હોય છે. આવી શ્રદ્ધાના કેન્દ્રમાં અનેક દેવ-દેવીઓનાં નામ પ્રચલિત છે. તમે ઘણાં નામ જાણો છો.. પણ એક નામ જાણીતું હોવા છતાં અજાણ્યું રહ્યું છે. પ્રત્યક્ષ હોવા છતાં પરોક્ષ રહેલું છે. આજે એ નામ જાહેર કરવું છે. એ એક પ્રત્યક્ષ દેવી છે... તમારી નવી “સંતોષીમા’ કરતાંય ચડિયાતી દેવી છે, અને તે છે માતા ! તે છે જનની ! આપણને જન્મ આપનારી માતા પ્રત્યક્ષ દેવી છે. અને એના આશીર્વાદ બીજી બધી દેવીઓના આશીર્વાદ કરતાં જલદી ફળે છે ! તીર્થકર ભગવંતાએ માતાને ગુરુ' તો કહી છે, જેનો બદલો ન વાળી શકાય તેવી ઉપકારી પણ કહી છે, અહીં એક જ્ઞાની પુરુષ અને પ્રત્યક્ષ દેવી' કહે છે. આપણે માતાને “દેવીના સ્વરૂપે જોવાની છે. જેવી રીતે દેવી પદ્માવતી તરફ જઈએ છીએ, જેવી રીતે દેવી ચક્રેશ્વરી તરફ જઈએ છીએ કે જેવી રીતે દેવી અંબિકા તરફ જોઈએ છીએ તેવી રીતે 74 0 સંવાદ