SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વેરાગી કે વૈષ કરતા નથી. પ્રેમ કરનાર પ્રત્યે રાગી બનતા નથી. તેઓ સમભાવમાં રમતા રહે છે. શરીર બગડી જવાનો ભય તેમને સતાવતો નથી. આ રીતે ત્રણ જાતના ભયાથી વૈરાગી મુક્ત બની રહે છે. ધનહાનિનો ભય નહીં. સ્વજનત્યાગનો ભય નહીં. દિ શરીર કષ્ટનો ભય નહીં. પછી, બીજા બધા ભયો તો મામૂલી હોય છે. માન-અપમાનનો ભય એને હોતી નથી. ખાવા-પીવાની ચિંતા પણ એને સતાવતી નથી. વૈિરાગી મનુષ્ય થોડું ખાય, થોડું બોલે... ઊંધે પણ થોડું, કપડાં પણ થોડાં જ રાખે. એની જીવનપદ્ધતિ સાવ સાદી ને સરળ હોય છે. એટલે અ ભયવિજેતા હોય છે. કુમાર અવસ્થામાં, ધનાઢ્ય એવા અયવંતી સુકુમાલે અને ગજસુકુમાળે સમતાભાવે નિર્ભય ચિત્તે કેવાં કષ્ટ સહન કરીને સમાધિમૃત્યુ મેળવ્યું હતું, તે દષ્ટાંતો તમારે જાણવાં પડશે. કારણ કે તમે પણ સુકુમાર છો ને ! કોમળ છે ને ! કષ્ટોથી ડરો છો ને ? ન ડરો. આત્માની અનંતશક્તિનું સ્મરણ કરી, કષ્ટોનો મુકાબલો કરો. નિર્ભય બનવા વૈરાગી બનવું જ પડશે ! અભય કોણ ? વૈરાગી * 73
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy