SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ વેળા દુઃખદાયી હિંસા વગેરે આશ્રવના : કટુ વિપાકો યાદ કરી લેવાના તો કોઈ વેળા એ છે આશ્રયોના ધસમસતા આવતા પ્રવાહને ખાળવાના - રોકવાના ઉપાયો મનમાં રમી જાય. કોઈ વેળા કમની નિર્જરાનું વિજ્ઞાન ચિત્તને ડોલાવી જાય તો કોઈ વેળા ચૌદ રાજલોક રૂપ વિરાટ વિશ્વની સફરે જીવ ઊપડી જાય. કોઈ વેળા ‘ધર્મના અભુત પ્રભાવો પર આત્મા ઓવારી જાય તો કોઈ વેળા ‘બોધિ'ની દુર્લભતા મનને ડોલાવી જાય. કોઈ વેળા મનડું સિદ્ધશિલાની સફરે ઉપડી જાય અને સિદ્ધશિલા પર સિદ્ધ-બુદ્ધ-મુક્ત બની બેસી ગયેલા પરમ અભય આત્માઓનો પરિચય કરી આવે ! આવું બધું કરતા રહેવાનું છે. કરશોને ? તમે નિર્ભય-અભય બનશો. તમને કોઈ ભય નહીં સતાવી શકે. તમે શક્રેન્દ્ર જેવા નિર્ભય બની શકશો. નિર્ભયતાનો આનંદ અપૂર્વ હોય છે ! વૈરાગી મનુષ્ય ગામમાં હોય કે જંગલમાં હોય, ઘરમાં હોય કે સ્મશાનમાં હોય, તે નિર્ભય રહેવાનો. એ સદેવ આનંદિત રહેવાનો. નિર્ભયતામાં જ મનુષ્ય પ્રસન્ન અને આનંદિત રહી શકે છે. વિરક્ત મનુષ્યને ધન પર મમત્વ હોતું નથી, એટલે એને ધન લુંટાઈ જવાનો કે ચોરાઈ જવાનો ભય હોતો નથી. તે માટે મૌન એકાદશીના આરાધક સુવ્રત શ્રેષ્ઠિ અને એમની અગિયાર પત્નીઓની વાર્તા તમે જાણો છો ? 11 ક્રોડ સોનૈયા ચોરીને ચોરો જાય છે, છતાં સુવ્રતને ચોરો પ્રત્યે દ્વેષ નથી થતો ! કે ભય નથી લાગતો. ન સાંભળી હોય તો આ કથા જરૂર સાંભળી લેજો અથવા વાંચી લેજો. વૈરાગી જીવને સ્વજનો પર મમત્વ હોતું નથી. એટલે સ્વજનો જ્યારે અનુચિત વ્યવહાર કરે છે ત્યારે તેમના પ્રત્યે દ્વેષ કરતો નથી પરંતુ એના કર્મોનો દોષ જોઈ સમતાભાવમાં રહે છે. વૈરાગી મનુષ્યને શરીર પર, પોતાના શરીર પર મમત્વ નથી હોતું તેથી, કોઈ એમના શરીરને ક્ષતિ પહોંચાડે છે તો પણ એમના પ્રત્યે તેઓ 72 0 સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy