________________ (૫ચર્યા પી જવાનું. પાણીમાં ડુબાડીને એ ભાત ખાઈ જવાના ને પાણી પી જવાનું. જ્યારે તમારા બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે આ તપશ્ચર્યાનો ઉપાય અજમાવી જોજો. કાર્યસિદ્ધિ માટે Vઆ શ્રેષ્ઠ ઉપાય છે. પૂર્વકાળમાં અને વર્તમાનકાળમાંય આ ઉપાય અસરકારક રહેલો છે. અલબત્ત આ ઉપાયમાં પણ તમારે ધીરજ તો રાખવી જ પડશે. ઉતાવળે આંબા ન પાકે. માતા દેવકીને ખોળામાં રમાડવા પુત્ર જોઈતો હતો ! શ્રીકૃષ્ણ દેવકીના મનની ઇચ્છા જાણી. માતાની ઇચ્છા પૂર્ણ કરવા તત્પર બન્યા. તેમણે અઠ્ઠમનો તપ કર્યો. દેવલોકમાં એક દેવનું આયુષ્ય પૂર્ણ થવાનું હતું. એ દેવે કહ્યું : “હું દેવકીના પેટમાં અવતરીશ. જન્મ થયા પછી... કુમાર અવસ્થામાં જ દીક્ષા લઈ લઈશ.' શ્રીકૃષ્ણે કહ્યું: ‘ભલે તમે દીક્ષા લેજો. મારી માતાને તો પુત્રને ખોળામાં રમાડવાના કોડ છે, એ કોડ પૂરા થવા જોઈએ !" અને એ દેવ દેવકીના પેટે અવતરે છે. એનું જ નામ ગજસુકુમાળ ! દેવકીની ઇચ્છાને, માતાની ઇચ્છાને શ્રીકૃષ્ણ તપશ્ચર્યાથી પૂર્ણ કરી હતી. કાર્યસિદ્ધિ માટે તપ એ અમોઘ ઉપાય છે. આવી જ એક ઘટના રાજગૃહી નગરીમાં બની હતી. રાજગૃહીના ધનાઢય શ્રેષ્ઠિ ઋષભદત્ત અને એમનાં પત્ની ધારણી, લગ્ન પછી વર્ષો સુધી નિઃસંતાન રહ્યાં. એક દિવસ વૈભારગિરિ પર શ્રી સુધર્માસ્વામી કે જેઓ ભગવાન મહાવીર સ્વામીના ઉત્તરાધિકારી હતા, તેઓ પધાર્યા. ત્યાં ઋષભદત્ત અને ધારણી વંદન કરવા ગયેલાં. ત્યાં “યશોમિત્ર' નામના સિદ્ધપુત્રનો ભેટો થઈ ગયો. યશોમિત્રે ધારણીને કહ્યું : “બહેન, તને સિંહનું સ્વપ્ન આવશે. એ સ્વપ્નની સાથે જ એક દેવ તારા ઉદરમાં અવતરશે. તું પુત્રવતી બનીશ. તું 108 આયંબિલ કરું.” ધારણીએ 108 આયંબિલ કર્યા. સિંહનું સ્વપ્ન આવ્યું. ધારણી સિાના ઉપાય કયા? તપશ્ચયા 0 67.