________________ 16. શ્રેષ્ઠ વાળ કયું? શિષ્ય : “ગુરુદેવ, મનુષ્યનું શ્રેષ્ઠ બળ ક્યું છે " ગુરુઃ “વત્સ ! ધેર્ય-ધીરજ એ શ્રેષ્ઠ બળ છે.” દુઃખના દિવસોમાં શાણા માણસો દુઃખી માણસોને ધીરજ રાખવાની શિખામણ આપે છે. “ધીરજ રાખો, ઉતાવળા ન થાઓ. દુઃખનાં વાદળ વિખરાઈ જશે !" અને આપણા દેશના બધા ધર્મોના બધા મહાપુરુષોએ વૈર્ય ધારણ કરીને, વૈર્યશક્તિ વધારવાનો ઉપદેશ આપ્યો છે. યોગવાસિષ્ઠ” નામના ગ્રંથમાં કહેવાયું છે - 'न स्वधैर्यादृते कश्चिदभ्युद्धरति संकटात् / ' ‘પોતાના પૈર્ય વિના કોઈ સંકટમાંથી મનુષ્યનો ઉદ્ધાર ન કરી શકે.” સીતાજીને લંકાના ઉદ્યાનમાં ધીરજ રાખીને બેસી રહેવું પડ્યું હતું. જ્યાં સુધી શ્રીરામ એમની પાસે ન પહોંચ્યા ત્યાં સુધી એટલા દિવસ એમણે ધીરજ રાખી હતી. હાયવોય નહોતી કરી કે કોઈ ફરિયાદ પણ નહોતી કરી. આવી ધીરજ ધરવા માટે દુઃખોને સહવાની શક્તિ હોવી જોઈએ. લોભ-પ્રલોભનો સામે ટકી રહેવાનું બળ હોવું જોઈએ. આવા ધીર પુરુષોને કવિઓએ “સાધુ” કહેલા છે !“બૈર્યધના દિ સાધવ: I' સાધુઓ ધીર હોય. ધીરતા જ એમનું ધન હોય છે. જેટલી ધીરતા વધારે તેટલા તે વધુ શ્રીમંત કહેવાય ! શ્રમણ ભગવાન મહાવીર સાડા બાર વર્ષ સુધી કષ્ટો સહવામાં થાક્યા નહીં. ધીર-વીર બનીને એ મહાવીર બન્યા ! તમે શ્રી હનુમાનજીની માતા અંજનાસુંદરીનું જીવનચરિત્ર કદાચ સાંભળ્યું હશે ? પતિ પવનંજયે નિર્દોષ અંજનાનો 22 વર્ષ સુધી ત્યાગ 62 9 સંવાદ