________________ - ટી.વી. ઉપર શું આવે છે? - છાપાંઓમાં શું વાંચો છો ? - મેગેઝીનો-સાપ્તાહિકોમાં શું જોવાનું? શું વાંચવાનું? તમે આ ટી.વી. છાપાં વગેરે જોવા-વાંચવાનું બંધ કરવાના ? રેડિયો પર કે ટી.વી. પર ગંદાં ગીતો સાંભળવાનું બંધ કરવાના ? ના ! તો પછી કામવિકારો તમારા મનને નહીં છોડે. તમને કામ-વાસના સતાવ્યા કરવાની. પછી લજ્જા, વિનય... આદિ ગુણ ટકી નહીં શકે. એમ કહેવામાં આવ્યું છે કે કામાગ્નિ પ્રાયઃ પહેલાં લજ્જાને સળગાવે છે પછી હૃદયને સળગાવે છે ! પહેલાં એ કામદેવનાં બાણ વિનય આદિ ગુણોને તોડે છે પછી મનુષ્યના મર્મસ્થાનને વીંધે છે. કામદેવનાં બાણ અત્યંત કષ્ટદાયક હોય છે. અસહ્ય વેગવાળાં હોય છે અને એનો પ્રતિકાર કરી ન શકાય તેવાં દારુણ હોય છે. માટે કામદેવને મોટામાં મોટો શત્રુ કહેવામાં આવ્યો છે. તમે લોકો ભલે શત્રુ ન માનો. ન માનવાથી એ શત્રુ મટી જતો નથી કે મિત્ર બની જતો નથી. પરંતુ શત્રુને મિત્ર માનવાની ભૂલ ભારે પડી જતી હોય છે. હજુ મિત્રને શત્રુ માની લો તો એ તમને નુકસાન નહીં કરે, . પણ શત્રુને મિત્ર માની ઘરમાં ઘૂસાડ્યો તો એ ઘરને બરબાદ જ કરે. છેલ્લી વાત - 'यथायथा कामसुखेषु वर्तते तथातथेच्छा विषयेषु वर्धते / ' જેમ જેમ કામસુખોમાં પ્રવૃત્તિ થતી જાય તેમ તેમ વિષયભોગની ઇચ્છા વધતી જાય છે.' તૃપ્તિ નથી થતી. - શત્ર કોણ છે? કામ 0 61