________________
વિષયો ને આવરીને પડેલી એ વાસના છે? સ્વજનો
મારા, પરિજનો મારા, ધન-સંપત્તિ મારી, શરીર / મારું..' જે પદાર્થને તમે તમારો માન્યો કે તેનું મમત્વ
બંધાયું ! આવાં વિવિધ મમત્વોમાંથી લોભ ઉત્પન્ન થાય છે. જેને “મારું” માન્યું તે મેળવવાનો લોભ જાગવાનો ને તે મેળવવા માયા-કપટ પણ કરવાના.
લોભનું મૂળ બતાવી દીધું. તેને રાખવું કે કાપવું તે તમારી ઇચ્છા પર નિર્ભર છે.
મમત્વને “રાગ” કહેવાય. અહંકારને દ્વેષ' કહેવાય.
આ “ક” અને “મમ' મોહરાજાનો મંત્ર છે. આ મહામંત્રથી મોહરાજાએ સમગ્ર વિશ્વને આંધળું બનાવી દીધું છે. મમત્વ અને અહંત્વની વાસનાઓ જ્યાં સુધી પ્રબળ છે ત્યાં સુધી કષાયો પ્રબળ રહેવાના જ. માટેમમત્વ અને અહંત્વની વાસનાઓને ખોદીને બહાર ફેંકી દેવી જ પડશે. રાગ-દ્વેષ પર જ સતત અને સખત પ્રહારો કરતા રહો, કષાયો સ્વતઃ ઢળી પડશે.
ચારે કષાયોમાં લોભ બહુ જ ખતરનાક છે. તેને વશમાં રાખવાનો
સર્વગુણનો નાશક કોણ ? લોભ ૦ ૫૭