SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. ઉપાદેરા શું છે ? ગુરુવચન શિષ્ય : ‘ગુરુદેવ, સ્વીકારવા જેવું શું છે ?’ ગુરુ : ‘વત્સ, ગુરુવચન સ્વીકારવા જેવું છે. એ જ હિતકારી છે.’ ‘પ્રશમરતિ’ નામના ગ્રંથમાં કહેવાયું છે : धन्यस्योपरि निपतत्यहितसमाचरण धर्मनिर्वापी | गुरुवदनमलयनिसृतो वचन सरसचन्दन स्पर्शः | ७० આજે આપણે આ શ્લોક ઉપર જ અનુપ્રેક્ષા-ચિંતન કરીશું. ગ્રંથકાર ગુરુના મુખને મલયાચલ કહે છે. તેમના વચનને ભીનો ચન્દનનો સ્પર્શ કહે છે. આ શીતલ ચંદનસ્પર્શ ભાગ્યશાળી શિષ્ય પામે છે ! ગુરુની આરાધનાના માર્ગમાં એક ભયસ્થાન છે. ગુરુ કાયમ તમને મીઠા-મધુરા શબ્દો જ સંભળાવે, એવી અપેક્ષા ન રાખશો. તમારી ભૂલો થઈ જવી સ્વાભાવિક છે. એ ભૂલો સુધારવા ગુરુ તમને કડવા શબ્દો પણ સંભળાવે. અપ્રિય શબ્દો પણ સંભળાવે, અને ક્યારેક શિક્ષા પણ કરે. એ વખતે જો તમે ગુરુદેવ પર રોષે ભરાયા તો ખેલ ખલાસ ! અસહિષ્ણુ શિષ્યના ચિત્તમાં ક્યારેક આવા વિકલ્પો ઊભરાય છે કે ‘ગુરુદેવ મને જ કેમ ઠપકો આપે છે ? વાત વાતમાં મને કેમ ટોકે છે ? શું મારે જિંદગીભર આ રીતે સહન જ કર્યા કરવાનું ? ના, મારાથી હવે આવાં આકરાં અને કડવા વચન સહન નથી થતાં...' જોકે કરુણાવંત જ્ઞાની ગુરુદેવ શિષ્યોની માનસિક સ્થિતિનો વિચાર ૫૦૦ સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy