________________
સપાસ
1
સુપાત્રદાન ત્યાં વટવૃક્ષ બનીને ફાલેફુલે છે ! 5 અત્યારે એ આત્મા એ દેવલોકમાં છે ! સુપાત્રદાનને | Vઅક્ષય વટવૃક્ષ કહેલું છે ! અર્થાત્ એ આત્મા નિર્વાણ 7 પામશે ત્યાં સુધી એને સુખ-સમૃદ્ધિ મળ્યા જ કરવાની.
આવો સુપાત્રદાનનો મહાન ધર્મ આરાધવાનો તમને અવસર મળેલો છે. એ અવસર ખોઈ નાંખશો નહીં. “ઔષધદાન' પણ એક વિશિષ્ટ દાન છે. બીમાર સાધુ-સાધ્વીની સેવા-ભક્તિ તો મહાન સેવા છે. મહાન ધર્મ છે. અરે, કોઈપણ ગ્લાન જીવની સેવા કરવાનો ઉપદેશ તીર્થકરોએ ભારપૂર્વક આપ્યો છે. ત્યાં સુધી પ્રભુએ કહ્યું છે કે “જે ગ્લાનની-બીમારની સેવા કરે છે તે મારી સેવા કરે છે.' આથી વિશેષ શું કહેવાનું ? પરંતુ તમે સર્વપ્રથમ બીમાર માતા-પિતાની સેવાથી પ્રારંભ કરશો. ? જો તમે ઇચ્છતા હો કે તમારી બીમારીમાં બીજા તમારી સેવા કરે, તો તમે સેવા કરવાનું કાર્ય શરૂ કરી દો. બરાબરને ?
અક્ષય વડનું વૃક્ષ કયું છે ? સુપાત્ર દાન ૦ ૪૯