________________
જોયા... એ ઓળખી ગયો ! ‘આ તો એ જ મુનિ છે કે જેમને જંગલમાં હું રોજ સ્થિરપણે ઊભેલા જોઉં છું !' એ મુનિરાજને બોલાવી લાવ્યો અને પોતે જે ખીર ખાવાનો હતો તે મુનિરાજને વહોરાવી દીધી ! ખૂબ પ્રેમથી આપી દીધી. આપીને ખૂબ રાજી થયો. અલબત્ત, અને ખબર નહીં હોય કે એ મુનિરાજને એક મહિનાના ઉપવાસનું એ દિવસે પારણું હતું ! ‘સુપાત્રદાન’નું વટવૃક્ષ વવાઈ ગયું ! અને ‘શાલિભદ્ર’ના ભવમાં એ વટવૃક્ષ ફાલ્યું-ફૂલ્યું ! વિપુલ વૈભવ મળ્યો. અપાર સંપત્તિ અને અનુપમ ભોગોપભોગ મળ્યા. એ બધાય કરતાં ચઢિયાતું સુખ મળ્યું ભગવાન મહાવીરના શિષ્ય થવાનું ! અત્યારે એ સુપાત્રદાનનું વટવૃક્ષ અનુત્તર દેવલોકમાં વિસ્તરેલું છે !
સુોંત્ર
113
સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સુપાત્ર કહેવાય. આમ તો પ્રત્યેક આસ્તિક મનુષ્ય સુપાત્ર છે. પરમાત્મતત્ત્વને, ગુરુતત્ત્વને અને ધર્મતત્ત્વને માનનાર મનુષ્ય સુપાત્ર છે. તમે સુપાત્રને દાન આપતા રહો ! એમાં કોઈ તીર્થંકર કે ગણધરનો આત્મા પણ હોઈ શકે ! કોઈ કેવળજ્ઞાનીનો કે અવધિજ્ઞાનીનો આત્મા પણ હોઈ શકે... તમારું દાન એમને મળે... અને તમે ન્યાલ થઈ જાઓ ! સુપાત્રદાન તમને અક્ષય પદ સુધી લઈ જઈ શકે છે.
સુપાત્રદાન માટે અમદાવાદ તો બહુ જ સાનુકૂળ શહેર છે. અહીં સદૈવ સાધુ-સાધ્વીજીનો યોગ રહે છે, સંયોગ ૨હે છે. પણ ભિક્ષાના સમયે તમારા દરવાજા ખુલ્લા રહે છે ખરા ? ફ્લૅટોના બંધ દરવાજે સાધુ-સાધ્વી ‘બેલ’ તો મારી શકે નહીં ! તમે એ સમયે પ્રતીક્ષા કરતા રહો તો જ તમને સુપાત્રદાનનો લાભ મળે. એમાંય જો સૂર્યાસ્તપૂર્વે તમારા ઘરમાં ભોજન થતું હોય, રાત્રિભોજન ન થતું હોય તો સુપાત્રાનનો સારો લાભ મળે.
ભોજનમાં કાંદા, બટાકા કે બીજાં કંદમૂળ તો (લસણ વગેરે) નથી વાપરતાને ? આપણા સાધુ-સાધ્વીને કોઈ કંદમૂળ કામ ન આવે. કોઈ અભક્ષ્ય પદાર્થ કામ ન આવે. તમારું જૈનોનું રસોડું જૈન સંસ્કૃતિ મુજબ
અક્ષય વડનું વૃક્ષ કયું છે ? સુપાત્ર દાન ૦ ૪૭