________________
શીલ, પરોપકાર, વિનય, ક્ષમા, ધૈર્ય અને અલોભ (સંતોષ) - આ છ વિધાની પૂર્ણતાના ઉવેલ ફળ છે.
મહાયોગી રાજર્ષિ ભર્તુહરીએ પણ વિદ્યાનો અપૂર્વ મહિમા ગાયો છે :
विद्या नाम नरस्य रुपमधिकं प्रच्छन्नगुप्तं धनं, विद्या भोगकरी यशः सुखकरी, विद्या गुरुणां गुरु । विद्या बन्धुजनो विदेशगमने विद्या परं वैभवं विद्या राजस्तु पूजिता न तु धने, विद्याविहीनः पशुः ।।
અર્થ સમજી લો વિઘા પુરુષનું શ્રેષ્ઠ રૂ૫ છે. ગુપ્ત ધન છે. યશ છે અને સુખદાયી છે. વિદ્યા ગુરુની પણ ગુરુ છે. પરદેશમાં બંધુ છે, પરમ દેવ છે. રાજાઓ વિદ્યાની પૂજા કરે છે, ધનની નહીં, વિદ્યાહીન પશુ કહેવાય !
તમારે કહેવું છે? વર્તમાનકાળે ધનહીન માણસ પશુ કહેવાય છે, એમ કહેવું છે ને ? કહો. ધનવંતો ને શ્રીમંતોની આરતી ઉતાર્યા કરો ! જે સમાજમાં શ્રીમંત કરતાં ધનવંતને મહત્ત્વ મળે, મહાત્માના બદલે માફિયાઓને મહત્ત્વ મળે, તે સમાજનું નૈતિક ને ધાર્મિક પતન થાય.
ધીમંત એટલે જ્ઞાની બુદ્ધિમાન. તેની આંખોમાં કામ-ક્રોધના વિકારો ન હોય. તે અભિમાનથી અક્કડ ન હોય. એની પાસે જ વિદ્યાનો દીવો સળગતો રહે. એ જ્ઞાની પુરુષ વિઘાચક્ષુથી જ અવલોકન કરતો હોય છે.
આપણી આજની વાત આ છે : ગુરુ યોગ્ય શિષ્યને સમ્યગૂ જ્ઞાન આપે. એ શિષ્ય એ જ્ઞાન આપા શિયોને આપે. આ પ્રવાહ વહેતો રહે. જ્ઞાનની ગંગા વહત રહેવું નઈએ.
લોંગફેલો' નામનો વિ કહે છે : Art is long and time is fleeting. વિદ્યા અનંત છે અને સમય ઊડી રહ્યો છે !!
૮૪ ૯ સંવાદ