SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વિધા First religious and Moral Principales. (પહેલાં ધાર્મિક અને નૈતિક સિદ્ધાંત) Secondly gentelmanly conduct (બીજો છે સત્પુરુષોચિત વ્યવહાર) - Third intellectual Apilitly. (ત્રીજી વાત છે બૌધ્ધિકક્ષમતા) ‘ટામસ આર્નોલ્ડ’ નામના વિદ્વાને આ ત્રણ વાતો બતાવી છે. આવા સુયોગ્ય શિષ્યને-ઉત્કૃષ્ટ શિષ્યને આપેલી વિદ્યા વિશેષ ગુણકારી (કલ્પવેલી) બને છે, જેમ કે મેઘનું પાણી સમુદ્રના છીપમાં પડીને મોતી બની જાય છે ! વાસ્તવમાં, સભ્યજ્ઞાન, સમ્યગ્ વિઘા તે તે વિષયમાં પારંગત આચાર્ય પાસેથી લેવાની હોય છે. અને એવી રીતે વિનયથી ગ્રહણ કરેલી વિદ્યા શ્રેષ્ઠ સાધુતા પ્રાપ્ત કરે છે. શ્રી શંકરાચાર્યજીએ કહ્યું છે : 'मातैव का या सुखदा सुविद्या ! मिमेधते दानवशात् सुविद्या !' માતાની જેમ સુખ ઉપના૨ી સુવિદ્યા છે. આપવાથી શું વધે છે ? ઉત્તમ વિદ્યા ! કલ્પવલ્લી સમાન વિદ્યા યોગ્ય શિષ્યોને - છાત્રોને - વિદ્યાર્થીઓને આપવાથી તે વિદ્યા નિરંતર વધતી જાય છે. એટલે ગુરુ એવા શિષ્યોને વિદ્યાદાન આપે છે. વિદ્યા પ્રાપ્ત કરતાં કરતાં શિષ્યનું વ્યક્તિત્વ કેવું ગુણમય બને છે તે ‘ક્ષેમેન્દ્ર’ના એક શ્લોકમાં સાંભળો. शीलं परहितासक्तिरनुत्सेकः क्षमाधृतिः । अलोभ श्वेती विद्यायाः परिपाकोज्ज्वलं फलम् ।। દુનિયામાં કલ્પવેલી શું છે ? વિદ્યા ૦ ૪૩
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy