________________
૧૧. દુનિયામાં કલ્પવેલો શું છે ?
વિધા
શિષ્ય : ‘ગુરુદેવ, આ દુનિયામાં સાચી કલ્પવેલી શું છે ?”
ગુરુ : ‘વત્સ, યોગ્ય શિષ્યને આપેલી વિદ્યા કલ્પવેલી છે !'
તમે લોકો પ્રાયઃ કલ્પવેલીના પ્રભાવ નહીં જાણતા હો. તમને બતાવું છું એના વિશેષ પ્રભાવ, પ્રભાવ કહો કે ચમત્કાર કહો ! એવી એક એ વેલડી હોય છે. એ વેલની ઉપર તમે જે વસ્તુ મૂકો, તે વસ્તુ ખાલી જ ન થાય ! જેમ કે એ વેલની ઉઢાણી બનાવીને એના પર ઘીનું કે દૂધમાખણનું વાસણ મૂકી રાખો. પછી એ વાસણમાંથી જે ઘી વગેરે હોય તે કાઢતા રહો. વાસણ ખાલી જ ન થાય ! ભરાયેલું જ રહે !
આવી કલ્પવેલી માંડવગઢના મહામંત્રી પેથડશાહ પાસે હતી. અને એના આધારે તેઓ મોટા શ્રીમંત બનેલા. પછી રાજાના મંત્રી બનેલા. તેમણે પોતાની શ્રીમંતાઈનો ખૂબ જ ઉદારતાથી ઉપયોગ કર્યા હતાં. તેમને માત્ર પાંચ લાખ રૂપિયાનો જ પરિગ્રહ હતો.
આ કલ્પવલ્લીની વાત જ્ઞાની પુરુષો તેમના ક્ષેત્રમાં, જ્ઞાનના ક્ષેત્રમાં કરે છે ! તેઓ આત્મવિદ્યાને કલ્પવલ્લી કહે છે. તેઓ અધ્યાત્મવિદ્યાને કલ્પવલ્લી કહે છે ! પરંતુ કલ્પવલ્લીનું કામ તો ગુરુના સમર્પિત શિષ્ય કરે છે ! એ ગુરુના જ્ઞાનને ઘટવા નથી દેતો, વૃદ્ધિ જ કરે છે !
રવીન્દ્રનાથ ટાગોરે લખેલું છે : વિદ્યાલાભ વિદ્યાલય પર નિર્ભર નથી પરંતુ મુખ્યતયા છાત્ર (શિષ્ય) પર નિર્ભર કરે છે. એટલે ગુરુ એવા કલ્પવેલી જેવા શિષ્યને શોધીને પોતાની વિદ્યા, પોતાનું જ્ઞાન આપે છે. તેઓ શિષ્યની ત્રણ વાતો જુએ છે :
૪૨ ૦ સંવાદ